અલ્હાબાદ હાઇકોર્ટે પીએમ મોદીને નોટિસ આપી છે અને 21 ઓગસ્ટ સુધી જવાબ માગ્યો છે. સાથે જ એક ખાનગી ન્યૂઝ ચેનલ સહિત અન્ય વિપક્ષીઓને પક્ષકારમાંથી હટાવવાની અરજીની માગ પણ હાઇકોર્ટે સ્વીકારી લીધી છે. આ આદેશ જસ્ટીસ એમ.કે.ગુપ્તાએ બીએસેફના બરતરફ કરાયેલા સિપાહી તેજ બહાદુર યાદવની ચૂંટણી અરજી પર આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, વારાણસી સંસદીય ક્ષેત્રથી ચૂંટણી લડવા માટે ઉમેદવારી પત્ર દાખલ કર્યું હતું. ત્યારે ઉમેદવારી પત્રમાં ખોટી જાણકારી હોવાનું કહીં ઉમેદવારી પત્ર રદ કરી દેવાયું હતું. અને તેમને આપત્તિઓ પર જવાબ આપવાનો સમય પણ ન હતો આપ્યો.
ઉલ્લેખનીય છે કે, કાયદા પ્રમાણે તેમને જવાબ આપવા માટે 24 કલાકનો સમય મળવો જોઇએ જ ન હતો મળ્યો. ઉપરાંત અરજીમાં ચૂંટણી અધિકારીઓ પર રાજકીય દબાણમાં નિર્ણય લેવાનો પણ આરોપ લગાવ્યો છે. જેના માટે પીએમ મોદીને જવાબદાર ગણાવ્યા છે.