પ્રયાગરાજમાં જિલ્લા કોર્ટે પ્રધાનમંત્રી મોદી વિરુદ્ધ દાખલ કરેલી અરજી પર પ્રધાનમંત્રી કાર્યાલયને નોટિસ ફટકારવામાં આવી છે.
જિલ્લા કોર્ટે પીએમઓ કાર્યાલયને નોટીસ ફટકારી
આ કેસની સુનાવણી 2 માર્ચે થશે
પીએમ વિરુદ્ધ કેસ દાખલ કરવાની માગ
પ્રયાગરાજમાં જિલ્લા કોર્ટે પ્રધાનમંત્રી મોદી વિરુદ્ધ દાખલ કરેલી અરજી પર પ્રધાનમંત્રી કાર્યાલયને નોટિસ ફટકારવામાં આવી છે. સાથે જ આ મામલાની સુનાવણી બે માર્ચના રોજ નિર્ધારિત કરવામાં આવી છે. જિલ્લા જજ નલિન કુમાર શ્રીવાસ્તવએ વકીલ રાકેશ નાથ પાંડેય તરફથી રજૂ કરાયેલી અરજી પર દલીલ કર્યા બાદ આ આદેશ આપ્યો છે.
પ્રધાનમંત્રી મોદી વિરુદ્ધ રાકેશ નાથ પાંડેયે આવેદન પત્ર રજૂ કરીને કેસ કરવાનો આદેશ જાહેર કરવાની માગ કરી છે. અરજીમાં આરોપ લગાવામાં આવ્યો છે કે, ચાર નવેમ્બર 2021ના રોજ જમ્મુ કાશ્મીરના નૌશેરામાં પ્રધાનમંત્રીએ ભારતીય સેનાની વર્દી પહેરી હતી. આ કલમ 140 ભારતીય દંડ સંગિતા અંતર્ગત દંડનિય અપરાધ છે. એટલા માટે પ્રધાનમંત્રી વિરુદ્ધ કેસ દાખલ થવો જોઈએ.
સીજેએમે ફગાવી દીધી હતી અરજી
આ અગાઉ મામલામાં 21 ડિસેમ્બર 2021ના રોજ અરજીની સુનાવણી મુખ્ય ન્યાયિક મજિસ્ટ્રેટ હરેન્દ્ર નાથે કરી હતી. સીજેએમ કોર્ટે કહ્યું હતું કે, આ ઘટના કોર્ટ ક્ષેત્ર અંતર્ગત આવતી નથી. આ મામલાની સુનાણી ત્યાંનો ક્ષેત્રાધિકાર ધરાવતા મજિસ્ટ્રેટ કરી શકે છે. જે સ્થાનિક અધિકાર રાખે છે.