Supreme Court એ એક ચુકાદા દરમિયાન ટિપ્પણી કરી હતી કે ફરિયાદ પર પ્રાથમિક તપાસ કરવા માટે કોર્ટ બંધાયેલી નથી.
સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
કોર્ટ ફરિયાદ પર પ્રાથમિક તપાસ કરવા માટે બંધાયેલી નથી
શરદ પવારનાં કેસનો રેફરન્સ આપ્યો
એક ચુકાદા દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કોર્ટ ફરિયાદ પર પ્રાથમિક તપાસ કરવા માટે બંધાયેલી નથી, પરંતુ જો કોર્ટ આવું કરવાનો નિર્ણય કરે તો તેણે ફેક્ટ્સનો અંતિમ સેટ તૈયાર કરવો જોઈએ જે ન્યાયના હિતમાં વધુ તપાસ માટે યોગ્ય હોય.
જૂના કેસોનાં રેફરન્સ
જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ વિક્રમ નાથની બેન્ચે અવલોકન કર્યું હતું કે 2003માં પ્રિતેશ વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકાર અને 2005માં ઈકબાલ સિંહ મારવાહ વિરુદ્ધ મીનાક્ષી મારવાહમાં પાંચ જજોની બંધારણીય બેન્ચે એક સમાન મંતવ્યો વ્યક્ત કર્યા હતા.
સર્વોચ્ચ અદાલત 26 ફેબ્રુઆરી, 2020 ના રોજ બે ન્યાયાધીશોની બેંચ દ્વારા મોકલવામાં આવેલા સંદર્ભનો જવાબ આપી રહી હતી, જેમાં તેણે બે ત્રણ જજની બેન્ચ અને પાંચ જજની બંધારણીય બેન્ચ દ્વારા રાખવામાં આવેલા વિરોધાભાસી મંતવ્યોની નોંધ લીધી હતી.
ઉલ્લેખિત પહેલો પ્રશ્ન એ હતો કે શું ફોજદારી કાર્યવાહી સંહિતા (CrPC), 1973ની કલમ 340 પ્રાથમિક તપાસનો આદેશ આપે છે અને કલમ 195 હેઠળ કોર્ટ દ્વારા ફરિયાદ કરવામાં આવે તે પહેલાં સંભવિત આરોપીને સુનાવણીની તક આપવી જોઈએ. તો આવા કેસમાં પ્રાથમિક તપાસની શક્યતા શું છે એ મુદ્દે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી.
શરદ પવારનાં કેસનો રેફરન્સ
ત્રણ સભ્યોની ખંડપીઠે 15 સપ્ટેમ્બરે પોતાનાં આદેશમાં કહ્યું હતું કે આ મામલે વિચાર કર્યા બાદ અમારો મત છે કે બંધારણ પીઠનો વિચાર સ્વાભાવિક રીતે જ માન્ય રહેશે. જે કાનૂની સ્થિતિને સ્પષ્ટ કરે છે એટલું જ નહીં જો આપણે ધ્યાનથી વિચાર કરીએ તો શરદ પવારનાં કેસમાં પણ જે રિપોર્ટ કરવામાં આવ્યો છે તે એક આદેશ અને ચુકાદો નથી.