ગઇકાલે ધરપકડ બાદ CBIએ રિમાન્ડની કરી હતી માગ, કોર્ટે સોમવાર 3 વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર કર્યા
CBI દ્વારા IAS કે.રાજેશની ધરપકડનો મામલો
IAS કે.રાજેશ સોમવાર સુધી રિમાન્ડ પર
સોમવારના બપોરના 3 વાગ્યા સુધી રિમાન્ડ પર
કલેક્ટર પદેથી વ્યાપક ભ્રષ્ટાચારના આરોપસર ધરપકડ કરવામાં આવેલા IAS કે.રાજેશને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. CBI દ્વારા વધુ પૂછપરછ માટે રીમાન્ડની માંગણી કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. જેને ગ્રાહ્ય રાખતા કોર્ટે IAS કે.રાજેશ સોમવાર સુધીના રિમાન્ડ પર મંજૂર કરી દીધા છે. કોર્ટે સોમવારના બપોરના 3 વાગ્યા સુધીના રિમાન્ડ CBIને આપતા કે રાજેશની મુશ્કેલીઓ દિવસે દિવસે વધી રહી છે. આ રિમાન્ડ દરમિયાન લાંચ અને ભ્રષ્ટાચારથી અત્યાર સુધી ફૂલ્યા ફાલેલા કે રાજેશની તમામ કુંડળી બહાર આવશે.
ગઈકાલે ધરપકડ કરી CBI ગાંધીનગર લઈ ગઈ હતી
લાંચ અને ભ્રષ્ટાચાર કેસમાં સંડોવાયેલા IAS અધિકારી કે.રાજેશ પર CBIએ ગાળિયો કસ્યો છે.લાંબી તપાસ બાદ અંતે કે.રાજેશની ગઈકાલે બુધવારના રોજ મોડી રાત્રે ધરપકડ કરી લેવામાં આવી હતી. સીબીઆઇ કે રાજેશને ધરપકડ કરી ગાંધીનગર લઈ ગઈ હતી.
જાણો કોણ છે IAS કે.રાજેશ?
કે.રાજેશ 2011 બેચના IAS અધિકારી છે. ધરપકડ પહેલા સામાન્ય વહીવટી વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા. કે.રાજેશ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. સુરેન્દ્રનગર કલેક્ટર બાદ ગૃહ વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે બદલી થઇ હતી. ગૃહ વિભાગમાં બદલીના ગણતરીના દિવસોમાં જ તેમને સાઈડ પોસ્ટ કરાયા હતા.
શું છે સમગ્ર મામલો?
રાજેશ સુરેન્દ્રનગરના કલેક્ટર હતાં તે સમયે સરકારી જમીનનો ખેલ પાડવાના વિવાદમાં તેઓ ફસાયા હતા. સૌરાષ્ટ્રમાં એરપોર્ટ નજીક 1 હજાર 47 એકર જમીનમાં કે. રાજેશ ફસાયા હતા. આ કેસમાં કે.રાજેશને સજા નહોતી મળી. જ્યારે અન્ય 2 GAS કેડરના અધિકારીને જેલની સજા ફટકારવામાં આવી હતી. આ બોગસ સરકારી દસ્તાવેજથી ચોટીલા, બામણબોર, મેવાસા અને શેખલીયામાં કૌભાંડ થયું હતું હતું. જેથી બામણબોરની જમીન મુદ્દે તપાસ થવા પર રાજકોટ કનેક્શન ખુલવાની શક્યતા સેવાઇ રહી હતી.
CBIની તપાસનું કારણ મુદ્દાવાર સમજો
IAS કે.રાજેશ કાંડમાં CBIએ ગહન તપાસ શરૂ કરી
ડેપ્યુટી કલેકટર કક્ષાના અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી
CBIના અધિકારીઓની એક ટીમ રાજકોટમાં તપાસ કરી
ડેપ્યુટી કલેકટરનું નિવેદન નોંધવામાં આવ્યું
કે.રાજેશના તાબાના અધિકારીને ફાઇલો પાસ કરવા આપી હતી
જમીનના બે પ્લોટની ફાઈલ ક્લિયરની સૂચના આપી હતી
બંન્ને પ્લોટની ફાઈલ ક્લિયર કરવામાં ગેરરીતિ થયાનું પ્રકાશમાં આવ્યુ હતું
કે.રાજેશે પોતાની સંડોવણી નકારી કાઢી હોવાની પણ માહિતી
કે.રાજેશે દોષનો ટોપલો ડેપ્યુટી કલેકટર પર ઢોળ્યો હોવાની વાત
ડેપ્યુટી કલેકટર કે.રાજેશ સામેની તપાસમાં મહત્વના સાક્ષી બની શકે
પોલીસ વેરિફિકેશન વિના કે.રાજેશે ઈસ્યુ કર્યાં 100 અનધિકૃત આર્મ્સ લાયસન્સ
તદુપરાંત સુત્રો પાસેથી જાણવા મળતી વિગત અનુસાર IAS અધિકારી કે.રાજેશે અનધિકૃત 100 આર્મ્સ લાયસન્સ ઈસ્યુ કર્યાનો પણ ખુલાસો થયો હતો. અધિકારી સુરેન્દ્રનગરના કલેક્ટર હતા, ત્યારે પોલીસની NOC ન હોવા છતાં લાયસન્સ ઈસ્યૂ કર્યાં હતા. આ કેસમાં કે. રાજેશ પર ભ્રષ્ટાચારનો આરોપ પણ લાગેલો હતો. જેથી CBI દરેક લાયસન્સનો તોડ મેળવી ભ્રષ્ટાચાર કેસમાં ગાળિયો કસી રહી છે. ઉપરોક્ત કાર્યવાહીના ભાગ રૂપે IAS અધિકારી કે.રાજેશની ધરપકડ કરી તેમણે ગાંધીનગર લઈ જવામાં આવ્યા છે.