રાજકોટમાં આગિયાર વર્ષ પહેલા કલેક્ટર કચેરીમાં તોડફોડને મામલે થયેલા કેસમાં 12 રાજકિય નેતાઓને એક વર્ષની જેલની સજા ફરમાવવામાં આવી છે. 12 આરોપઓમાં સાંસદો, ધારા સભ્યોનો પણ સમાવેશ થાય છે, કેટલાક જૂનાજોગી છે. તો કેટલાક જૂના સાથીદારો છે તો વળી કેટલાક આમને સામને હતા તે હવે સાથે છે. 12 આરોપીઓમાંથી 2ના મોત થઈ ચૂક્યા છે.
આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા
12 પૈકી 2 આરોપીઓના થઈ ચૂક્યા છે મોત
5 હજારનો દંડ અને 1 વર્ષ જેલની સજા
11 વર્ષ પહેલા રાજકોટમાં કલેક્ટર કચેરીમાં તોડ ફોડ કરવામાં આવી હતી જેમાં મુખ્ય 12 આરોપીઓને કોર્ટે દોષિત જાહેર કર્યા છે. 12 આરોપીઓને રૂ.5 હજારનો દંડ અને એક વર્ષની સજા ફરમાવવામાં આવી છે. તમામ આરોપીઓ મોટા માથા છે જેમાંથી બે આરોપીઓના તો મોત થઈ ચૂક્યા છે.
12 પૈકી 2 આરોપીઓના થઈ ચૂક્યા છે મોત
12માંથી 2 આરોપીઓના તો મોત થઈ ચુક્યા છે. વિઠ્ઠલ રાદડિયા, પોપટ જીંઝરીયાનું મોત થઈ ચુક્યુ છે. અન્ય દોષિતો સેશન કોર્ટમાં કરશે અપીલ કરશે. જો કે અપીલ સમયગાળામાં આરોપીઓ જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.