ઉત્તરપ્રદેશ સરકાર પોતાની સાંસદ અને કેબિનેટ મંત્રી રીતા બહુગુણા જોશી વિરુદ્ધ વર્ષ 2010માં નોંધાયેલ એક કેસ પાછો ખેંચશે.
આ મામલે ઉત્તર પ્રદેશ સરકારે પ્રયાગરાજની વિશેષ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. સરકારની અરજી પર વિશેષ કોર્ટે કેસ પાછો ખેંચવાની મંજૂરી આપી છે.
ઉત્તરપ્રદેશની સરકારમાં કેબિનેટ મંત્રી જોશી આ વખતે અલાહાબાદથી ચૂંટણી જીતી છે. આ મામલો વર્ષ 2010ના એ સમયનો છે, જ્યારે રીતા બહુગુણા જોશી કોંગ્રેસની પ્રદેશ અધ્યક્ષ હતી. એમની વિરુદ્ધ મુખ્યમંત્રી આવાસ પર કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે વિરોધ માર્ચ દરમિયાન પોલીસ પર હુમલો કરવાનો આરોપ હતો.
રીતા બહુગુણા જોશી વિરુદ્ધ આ મામલો લખનઉના વજીરગંજ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. લગભગ ત્રણ મહીના અગાઉ ઉત્તર પ્રદેશની સરકારે વિશેષ કોર્ટમાં આ કેસ પાછો ખેંચવા માટે અરજી દાખલ કરી હતી.
આ મામલે પ્રયાગરાજ જિલ્લા સરકારી વકીલ ગુલાબ ચંદ્ર અગ્રહરીએ બતાવ્યું કે, વિશેષ જજ પવન કુમાર તિવારીએ શનિવારે આ મામલાને પાછો ખેંચવાની મંજૂરી આપી દીધી છે.