પાટીદાર અનામત આંદોલન દરમ્યાન જામનગરમાં તોડફોડ કર્યાના કેસ મામલે કોર્ટે 14 આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા.
જામનગરમાં પાટીદાર અનામત આંદોલન દરમ્યાન તોડફોડનો મામલો
રણજીત સાગર રોડ ઉપર તોફાન સંદર્ભે 14 આરોપીઓ નિર્દોષ
વાહન સળગાવવા બાબતે આ 14 લોકો વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો
જામનગરમાં પાટીદાર અનામત આંદોલન દરમ્યાન તોડફોડના કેસમાં કોર્ટે 14 આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. જણાવી દઇએ કે, જામનગરમાં પાટીદાર અનામત આંદોલનના કેસમાં રણજીત સાગર રોડ પર વાહન સળગાવવા બાબતે આ 14 લોકો વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો.
જાણો શું હતો સમગ્ર કેસ?
આ કેસની સમગ્ર વિગત એવી છે કે, જામનગર સીટી–A ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ પાટીદાર અનામત આંદોલન સંદર્ભે લાલપુર બાયપાસથી પવનચક્કી સુધી પેટ્રોલિંગ કરતા હતા. એ દરમિયાન 14 આરોપીઓ દ્વારા ગેરકાયદેસર મંડળી રચી પોલીસ કર્મચારીનું મોટર સાઈકલ સળગાવી નાખ્યું હતું. જેથી પોલીસ કર્મચારી દ્વારા 14 આરોપીઓ વિરૂદ્ધ જામનગર સીટી–A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 143 અને 435 મુજબ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ દ્વારા ફરિયાદના આધારે ચાર્જશીટ કરવામાં આવી હતી
બાદમાં પોલીસ દ્વારા ફરિયાદના આધારે ચાર્જશીટ કરવામાં આવી હતી. જે કેસ જામનગરના સિનિયર સિવિલ જજ એન. એન. પાથરની કોર્ટમાં ચાલ્યો જતાં કોર્ટ દ્વારા 14 આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો છે.
14 આરોપીઓ વિરૂદ્ધ વાહન સળગાવવા બાબતે ગુનો નોંધાયો હતો
તમને જણાવી દઇએ કે, જામનગર પાટીદાર અનામત આંદોલન દરમિયાન તોડફોડના કેસમાં 14 આરોપીઓ વિરૂદ્ધ વાહન સળગાવવા બાબતે ગુનો નોંધાયો હતો. આ કેસમાં 14 યુવાનોને કોર્ટે આજે નિર્દોષ જાહેર કર્યા છે. આરોપી તરફથી વકીલ નાથાલાલ પી. ઘાડીયા, હિતેન એસ. અજુડીયા, હસમુખ એમ. મોલીયા, પરેશ એસ. સભાયા, રવિન્દ્ર કે. દવે, હિરેન જે. સોનગરા, રાકેશ જે. સભાયા, પ્રિયેન કે. મંગે, ગજેન્દ્રસિંહ જે. ઝાલા, અર્પિત એમ. રૂપાપરા રોકાયેલા હતા.