જુનાગઢનાં માળીયાહાટી તાલુકાનાં ચુલડી ગામમાં એક દંપતીએ કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી.ઉત્તરાયણના દિવસે દંપતીનાં આપઘાતને કારણે ગામવાસીઓ શોકમગ્ન થઈ ગયાં હતાં. પોલીસે જ્યારે ઘટના સ્થળે પહોંચીને આત્મહત્યાનું કારણ તપાસતા કારણ ચોંકાવનારું મળ્યું હતું.
દંપતીએ ઝઘડાથી કંટાળી જીવન ટુંકાવ્યું
પત્નીએ ફાંસો ખાધો તો પતિએ દવા પીધી
ઉત્તરાયણની રાતે આત્મહત્યા કરતા ગામમાં શોકનું વાતાવરણ
દંપતી વચ્ચે થતાં હતાં ઝઘડા
માળીયાહાટીનાં તાલુકાનાં ચુલડી ગામે વણકરવાસમાં રહેતાં 45 વર્ષીય દિલીપભાઈ પુંજાભાઈ રાઠોડ અને તેમની 40 વર્ષીય પત્ની મીનાબેને અવાર નવાર ઝઘડાથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. દિલીપભાઈએ ઝેરી દવા પીધી હતી જ્યારે મીનાબેને ફાંસો ખાધો હતો.
પહેલા પત્ની અને પછી પતિએ આત્મહત્યા કરી
અવાર નવાર દંપતી વચ્ચે નાની મોટી બાબતોમાં ઝઘડા થતાં હતાં. જેનાંથી કંટાળી ઉત્તરાયણની રાતે 9.30 વાગ્યે મીનાબેને જ ઘરે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પત્નીના આપઘાતથી આઘાતમાં સરી પડેલા પતિ દિલીપભાઈએ પણ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતો.
પોલીસે શરુ કરી કાયદાકીય પ્રક્રિયા
મૃતક દિલીપભાઈ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આ અંગેની જાણ માળીયાહાટીનાં સ્થાનીક પોલીસ ઘટનાં સ્થળે દોડી ગઈ હતી. પોલીસે ફરીયાદ નોંધી મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો.