સુરેન્દ્રનગરના મુળી-ડોડિયા ગામ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે લોકોના મોત , કાર અને ટેન્કર વચ્ચેના અકસ્માત બાદ ટેન્કર ચાલક ફરાર
સુરેન્દ્રનગરમાં ભાડુકા ગામ પાસે અકસ્માત
કાર અને ટેન્કર વચ્ચેના અકસ્માતમાં દંપતિનું મોત
અકસ્માત બાદ ટેન્કર ચાલક ફરાર
સુરેન્દ્રનગરના મુળી-ડોડિયા ગામ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે લોકોના મોત નિપજ્યા છે. ભાડુકા ગામ પાસે કાર અને ટેન્કર વચ્ચે ગંભીર અસક્માત સર્જાતા કારમાં સવાર દંપતિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માત બાદ ટેન્કર ચાલક ફરાઈ થઈ ગયો હતો.
કાર અને ટેન્કર વચ્ચેના અકસ્માતમાં દંપતિનું મોત
દંપતિ જ્યારે ચોટીલાથી સુરેન્દ્ર તરફ આવી રહ્યું ક્યારે પૂરપાટ ઝડપે એકાએક ટેન્કર ધસી આવ્યું હતું અને કારમાં સવાર દંપતિનો ભોગ લીધો હતો. ઘટના બાદ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી સ્થિતિ પર કાબૂ મળવ્યો હતો અને ટેન્કર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બંને મૃતકોને પીએમ અર્થે ખસેડી મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવતા પરિવારજનો શોકમગ્ન બન્યા હતા.
અકસ્માત બાદ ટેન્કર ચાલક ફરાર
અકસ્માની ઘટને લઈ લઈ પોલીસ નિવેદન આપતા જણાવ્યું હતું કે અકસ્માત બાદ ટેન્કર ચાલક ફરાર થઈ ગયો છે જેની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. વધુમાં પોલીસે અકસ્માત બાદ ટેન્કર ચાલક ફરાર થઈ ગયો છે. તેવું જણાવતા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેવું જણાવ્યું હતું.