લગ્નને એક પવિત્ર બંધન માનવામાં આવે છે જેનો સંબંધ સાત જન્મોની સાથે હોય છે. પરંતુ ગુજરાતના ગોંડલમાં એક લગ્ન સાત જન્મ તો દૂર એક કલાક પણ ના ટકી શક્યા. વર-વધુએ સાત ફેરા લીધા પછી તરત જ તેમના તલાક થઇ ગયો જેનું કારણ ચોંકાવનારું છે.
જાણકારી અનુસાર ગુજરાતના ગોંડલ ખાતે ધામધૂમથી લગ્નની ઉજવણી થઇ રહી હતી વર-વધુ બંને પક્ષોના લોકો ખૂબ જ ખુશ હતા. તો બીજી તરફ વર-વધુ સાત ફેરાને લઇને સાત જન્મ સુધી સાથે રહેવાનું વચન આપ્યુ હતુ. લગ્ન પછી બંને પક્ષોએ સાથે બેસીને જમવાનો નિર્ણય કર્યો.
પંચોલામાં જ્યારે વરવધૂ સિવાય બંને પક્ષોના સગા-સંબંધીઓ ખાવા માટે બેઠા હતા ત્યારે તે જ દરમિયાન કોઇ વાતને લઇને બંને પક્ષો વચ્ચે લડાઇ શરૂ થઇ ગઇ. આ લડાઇ એટલી હદ સુધી વધી ગઇ કે બંને પક્ષોના લોકો એકબીજા પર વાસણ ફેંકવા લાગ્યા.
વર-વધૂ બંને પક્ષોની આ પ્રકારની ભયંકર લડાઇને જોઇને ત્યાં પોલીસને બોલાવવામાં આવે જેનાથી લડાઇ તો પૂરી થઇ ગઇ અને સાથે જ વર-વધૂનો સંબંધ પણ હંમેશા માટે ખત્મ થઇ ગયો.
વર-વધૂ બંને પક્ષોએ લગ્નની મંડપમાં જ પોત-પોતાના વકિલને બોલાવી દીધા અને તે જ સમયે વર-વધૂના તલાક કરાવી દીધા. વરએ લગ્નમાં મળેતી તમામ ગિફ્ટ પરત કરી દીધી અને વધુને લીધા વગર જ જાનને લઇને પરત ફરી ગયો.