મહેસાણા જિલ્લાનું મોઢેરા સૂર્ય મંદિર હવે સૌરઊર્જાથી ઝળહળશે, રૂપિયા 69 કરોડના ખર્ચે મોઢેરામાં સૌરઉર્જા પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે
મોઢેરાને રાત્રે પણ મળશે સૂર્યની ઊર્જા
69 કરોડના ખર્ચે તૈયાર થશે સૌલાર પ્રોજેક્ટ
13 એકરમાં બની રહ્યો છે સોલાર પ્રોજેક્ટ
મોઢેરા સૂર્ય મંદિર હવે સૌર ઉર્જાથી ઝળહળશે. અહીં 69 કરોડના ખર્ચે દેશનો સૌથી મોટો સૌરઊર્જા પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે. જે સૂર્યમંદિરને તો ચમકાવશે જ સાથે-સાથે મોઢેરાને પણ સૌરાઊર્જા પુરી પાડશે. ત્યારે કેવો છે આ પ્રોજેક્ટ જુઓ ખાસ રિપોર્ટમાં..
મોઢેરા આપણો પૌરાણિક વારસો. આપણું ઐતિહાસિક પર્યટક સ્થળ, અહીં રોજ મોટી સંખ્યામાં પર્યટકો આવે છે. અને તેની કલાકૃતિને માણે છે. પરંતુ આ ઐતિહાસિક સ્થળની સુંદરતામાં અને રાત્રીના ઝગમગાહટમાં હવે વધું એક નઝરાણું ઉમેરાયું છે. એટલે કે, આખું સૂર્ય મંદિર હવે સૌરઊર્જાથી ઝળહળશે. કારણ કે, 69 કરોડના ખર્ચે મોઢેરામાં સૌરઊર્જા પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે.
69 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલ આ પ્રોજેક્ટ મોઢેરા સૂર્યમંદિરથી 3 કિલોમીટર દૂર સુજાનપુરા ખાતે સ્થાપિત કરાયો છે. અહીં સૌર્યઉર્જા પ્રોજેક્ટ માટે સરકારે 12 એકર જમીન ફાળવી છે. અહીં જમીનમાં સોલાર ફોટોવોલ્ટેઈક પેનલ લગાવવામાં આવી છે. આ સ્થળ પર 3 મેગાવોટના કુલ બે યુનિટ ઉભા થશે. સાથે-સાથે લીથીયમ બેટરી વાળી બીએસએસ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે.
સૌથી મહત્વની વાત તો એ છે કે, સોલર એનર્જીથી મોઢેરા સૂર્યમંદિરમાં તો રાત-દિવસ વીજળી પુરા પાડવામાં આવશે જ. પરંતુ તેની સાથે-સાથે મોઢેરા ગામના 1610 ઘરોને પણ વીજળી પુરી પાડવામાં આવશે. તેમાં પણ કુલ ઘરો પૈકીના 271 ઘરો ઉપર એકકિલો વોટની રુફટોપ સિસ્ટમ પણ લગાવવામાં આવી રહી છે. જે વીજળી ઘર માલિકો ગ્રેડમાં પણ વેચી શકશે. અને આ માટે સ્માર્ટ મિટર પણ લગાવવામાં આવશે. સૌથી મહત્વની વાત તો એ છે કે, મોઢેરા ગામ વાસીઓની અને મંદિર પરિસરમાં વીજળીની જરૂરિયાત માત્ર 10 હજાર યુનિટ છે. પરંતુ ભવિષ્યને ધ્યાને રાખતા 150 લાખ યુનિટ વીજળી આ પ્રોડેક્ટ દ્વારા ઉત્પન્ન કરી શકાશે. ગુજરાત માટે ખુશીની વાત એ છે કે, સૂર્ય મંદિર અને મોઢેરા દેશનું પ્રથમ સોલાર વિલેજ બનશે.