દેશભરમાં વાહનોના આવાગમન માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે આવતા બે વર્ષમાં ભારત ટોલનાકાથી મુક્ત થઇ જશે.
આ માટે સરકારે GPS (ગ્લોબલ પોઝિશનિગ સિસ્ટમ)ને અંતિમ રૂપ આપવાનો નિર્ણય લીધો છે. ગુરુવારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે આવતા બે વર્ષમાં ટોલ ફક્ત તમારા લિંક કરેલા બેંક ખાતામાંથી કપાઈ જશે.
ASSOCHAMની સાથે મુલાકાત
એસોચૈમ ફાઉન્ડેશન વીક પ્રોગ્રામમાં વાતચીત કરતી વખતે નીતિન ગડકરીએ કહ્યું કે રશિયન સરકારની મદદથી અમે જલ્દી જ GPS સિસ્ટમને ફાઈનલ કરી દઈશું જેથી ભારત 2 વર્ષમાં સંપૂર્ણ રીતે ટોલનાકાથી મુક્ત થઇ જશે.
1.34 ટ્રિલિયન સુધી વધી જશે ટોલની આવક
GPS ટેક્નોલોજીનો ઉપયોગ કર્યા પછી નેશનલ હાઈવે ઓથોરિટી NHAIના ટોલની આવક 5 વર્ષમાં 1.34 ટ્રિલિયન જેટલી વધી શકે છે.
એક વર્ષથી ફાસ્ટેગને ફરજિયાત કરાયો છે
દેશભરમાં વાહનોની અનુકુળ અવરજવર માટે સરકાર દ્વારા આ વિશેષ પગલું લેવાઈ રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં કેન્દ્ર સરકારે દેશના તમામ ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ ફરજિયાત બનાવ્યો છે. ફાસ્ટેગની આવશ્યકતા પછી દેશભરમાં બળતણનો વપરાશ ઘટી ગયો છે. આ સિવાય પ્રદૂષણ ઉપર પણ કાબૂ મેળવી શકાયો છે.
કેશલેસ ટ્રાન્ઝેક્શનમાં થયો વધારો
ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન ડિવાઇસીસના ઉપયોગથી કેશલેસ વ્યવહારોને પણ પ્રોત્સાહન મળ્યું છે. આ સાથે ટોલ કલેક્શનમાં પારદર્શિતા જોવા મળી છે.