સ્વાસ્થ્યમંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું કે કોરોના વાયરસના ઉપાયોનું પાલન કરવામાં બેદરકારીના કારણે સંક્રમણ વધ્યું છે. બીજી લહેરમાં નિયમોનું પાલન જરૂરી છે.
દેશમાં કોરોનાની બીજી ખતરનાક લહેર
બેદરકારીના કારણે સંક્રમણ વધ્યું છેઃ સ્વાસ્થ્યમંત્રી
જાણો બીજી લહેરમાં સંક્રમણથી બચવા શું કરશો અને શું નહીં
દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે અને સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 47 હજાર 9 નવા કેસ આવ્યા છે. આ એક દિવસમાં આવનારા નવા કેસમાં સૌથી વધારે છે. દેશમાં સંક્રમણની સંખ્યા વધીને 1 કરોડ 16 લાખ 45 હજાર 719 થઈ છે આ સિવાય રિકવર દર્દીની સંખ્યા 1 કરોડ 11 લાખ 49 હજાર 324 થઈ છે તો સાથે જ દેશમાં એક દિવસમાં કોરોનાથી દેશમાં 213ના મૃત્યુ થયા છે.
અહીં સંક્રમણ સૌથી વધારે, જાણો કારણ
પંજાબ, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં સંક્રમણ વધ્યા બાદ પ્રશાસને કોરોના ગાઈડલાઈન્સના પાલનમાં કડકાઈ દેખાડી છે. સ્વાસ્થ્યમંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું કે કોરોના વાયરસના બચાવના ઉપાયોનું પાલન કરવામાં બેદરકારીના કારણે સંક્રમણના કેસમાં વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું કે 80 ટકા કેસથી વધારે કેસ આ રાજ્યોમાંથી છે. મંત્રીએ ભાર આપતાં કહ્યું કે માસ્ક લગાવવા અને સોશ્યલ ડિસ્ટન્સિંગની સાથે કોરોનાના નિયમનું પાલન જરૂરી છે. તેનું પાલન વેક્સીનેશન સિવાય પણ કરવું જરૂરી છે.
Maharashtra: 5408 positive cases and 32 deaths reported in Pune district, in the last 24 hours
Total positive cases: 4,69,478
Total recoveries: 4,20,966
Total active 39,112
Death toll 9,569 pic.twitter.com/pjjha6MNz3
સ્વાસ્થ્યમંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું છે કે કેટલાક રાજ્યોમાં વધતા કેસની ભાગીદારી 80 ટકાથી વધારે છે. તેઓએ કહ્યું કે દેશમાં સંક્રમણના વધતા પ્રમુખ કારણે કોરોના વ્યવહારમાં બેદરકારી આવી છે. એ નક્કી કરવું જરૂરી છે કે વેક્સીનની ઉપલબ્ધતા બાદ પણ કોરોનાના નિયમોનું પાલન કરાય. મંત્રીએ કહ્યું કે યોગ્ય કોવિડ વ્યવહાર અને કોવિડ વેક્સીનેશનને માટે જાગરુકતા વધારવાની જરૂર છે અને વેક્સીનેશનને જન આંદોલન કરવાની જરૂર છે. હાલ સુધીમાં 3 કરોડ લોકોને વેક્સીન અપાઈ છે અને અભિયાનને વધારે ફાસ્ટ કરાયું છે. આ મહામારીમાં તે જ મોટું હથિયાર છે.
પીએમ મોદીએ કહી હતી આ વાત
આ પહેલા પીએમ મોદીએ કહ્યું હતું કે કોરોનાની બીજી લહેરને રોકવા માટે તીવ્ર અને નિર્ણાયક પગલા લેવા કહ્યું છે. દેશના અનેક ભાગમાં વધતા કોરોનાની ચિંતાને લઈને તેઓએ વીડિયો કોન્ફરન્સની મદદથી મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. ફરી એકવાર મહામારી સામે આવી શકે છે અને તેને માટે તપાસ, ઓળખ અને ઈલાજનું કડકાઈથી પાલન કરાય. તેઓએ કહ્યું કે દરેક સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોએ પોતાનો ટેસ્ટ ઓછામાં ઓછા સમયમાં કરાવી લેવો.
જાણો કોરોનાની બીજી લહેરમાં સંક્રમણથી બચવા શું કરશો અને શું નહીં