હરિયાણાઃ ઝજ્જર સ્થિત દેશની સૌથી મોટી કેન્સર હોસ્પિટલ નેશનલ કેન્સર ઇન્સ્ટીટ્યૂટ (NCI)માં મંગળવારથી OPD સેવાઓ શરૂ થઇ જશે. હોસ્પિટલનાં OPD બ્લોકનું નિર્માણ થઇ ચૂકેલ છે અને બુનિયાદી ઉપકરણ ઇન્સ્ટોલ કરવામાં આવી ચૂકેલ છે.
OPD સેવાઓ શરૂ થવાનાં એક દિવસ પહેલાં સોમવારનાં રોજ સ્ટાફ અંતિમ તૈયારીઓમાં લાગી ગયેલ છે. આ છેલ્લાં અનેક દશકાઓમાં ભારતનાં સૌથી મોટા પબ્લિક ફંડથી બનેલ હોસ્પિટલ પ્રોજેક્ટ છે. 2035 કરોડ રૂપિયાનાં ખર્ચે આને તૈયાર કરવામાં આવી રહેલ છે.
અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS)નાં નિર્દેશક ડૉ. રણદીપ ગુલેરીયાને આ હોસ્પિટલ ચલાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓએ જણાવ્યું કે 710 બેડ્સની આ હોસ્પિટલનું નિર્માણ કાર્ય ખતમ થઇ ગયેલ છે. તેઓએ જણાવ્યું કે 'અમે સોમવારથી OPD સેવાઓનું સોફ્ટ લોન્ચ કરી રહેલ છે. મધ્ય જાન્યુઆરીએથી પબ્લિકને માટે ઇન્ડોર એડમિશન પણ કેટલાંક ચરણોમાં શરૂ કરી દેવાશે.'
ત્રણ ચરણોમાં થશે શરૂઃ
NCI ત્રણ ચરણોમાં શરૂ થશે. પહેલું ચરણ જાન્યુઆરી-માર્ચ 2019ની વચ્ચે શરૂ થશે કે જેમાં OPD અને 250 બેડ હશે. ત્યાર બાદ ડિસેમ્બર 2019માં ઇન્ડોર એડમિશનને 500 બેડ સુધી વધારી દેવામાં આવશે. આનાં એક વર્ષ બાદ આ સંપૂર્ણ રીતે સંચાલિત થવા લાગ્યું.
અધિકારીઓએ જણાવ્યું કે પહેલા ચરણ માટે 634 ડૉક્ટર નર્સ અને ટેક્નીશન્સ જોઇએ. જેમાંથી 110ને નિયુક્ત કરી લેવામાં આવેલ છે અને બાકીનાં સ્ટાફને રાખવામાં આવી રહેલ છે.
AIIMSનો બોઝનું ભારણ વહેંચાશેઃ
NCI AIIMSની કેન્સર હોસ્પિટલનું ભારણ વહેંચવાનું કામ કરશે. AIIMS હાલમાં દર દિવસે 1300 દર્દીઓની સારસંભાળ લે છે. ડૉક્ટર જણાવે છે કે સુવિધાઓનાં અભાવે આમાંથી માત્ર 400ને જ સારવાર મળી શકે છે.
ઝજ્જર પરિસર મુખ્ય AIIMSથી અંદાજે 50 કિ.મીએ દૂર છે પરંતુ અધિકારીઓનું કહેવું છે કે તેઓ બંને પરિસરોની વચ્ચે સેવાઓનું સમન્વય કરવા માટે ટેક્નીકનો ઉપયોગ કરવા વિશે પ્લાન બનાવી રહેલ છે. જેવાં જ બે પરિસરોને માટે દર્દીઓને એક યૂનીક આઇડી આપવામાં આવશે.