BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ગુજરાતના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને સૌરાષ્ટ્રની રણજી ટ્રોફીની ફાઈનલમાં જવા માટેની પરવાનગી માટે ણા પાડી દીધી છે ત્યારે સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ કેપ્ટન જયદેવે શાહે BCCI પર ઘણાં સવાલો ઉઠાવ્યા છે.
સૌરાષ્ટ્ર બંગાળમાં થશે ફાઈનલ
સૌરાષ્ટ્રના ઓલરાઉન્ડર જાડેજા નહિ રમે રણજી
12 માર્ચથી દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 3 વન ડે સીરીઝ રમાશે
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સૌરાષ્ટ્રના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને લઈને સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. આંતરરાષ્ટ્રીય પ્રતિયોગિતાને કારણે જાડેજાને 9 માર્ચે શરુ થનારી રણજી ટ્રોફી ફાઈનલમાં રમવા માટે પરવાનગી આપવા માટે ના પાડી દીધી છે.
ગાંગુલીએ સૌરાષ્ટ્ર ક્રિકેટ સંઘના અધ્યક્ષ જયદેવ શાહની માંગને ના પાડતા કહ્યું કે "દેશ પહેલા" આ સિદ્વાંતનું પાલન થવું જોઈએ. જો કે 12 માર્ચથી દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 3 વન ડે સીરીઝ રમાશે. એક મીડિયા એજેન્સી મુજબ જયદેવ શાહને ગાંગુલીએ આ વાત કહી હતી.
ફાઈનલ દરમિયાન આંતરરાષ્ટ્રીય સીરીઝ નક્કી ન કરવી જોઈએ
જયદેવ શાહે કહ્યું કે રણજી ટ્રોફી જેવા મહત્વના ટુર્નામેન્ટ વખતે ફાઈનલ દરમિયાન આંતરરાષ્ટ્રીય સીરીઝ નક્કી ન કરવી જોઈએ. તેમણે સાથે એવું પણ કહ્યું કે આવું આઈપીએલ દરમિયાન કેમ થતું નથી?
સૌરષ્ટ્રના પૂર્વ કેપ્ટન શાહે કહ્યું કે "જો BCCI ઈચ્છે કે લોકો પોતની ઘરેલું પ્રમુખ ક્રિકેટ લીગ જોવે તો તે દરમિયાન આંતરરાષ્ટ્રીય મેચ ન હોવી જોઈએ. શું BCCI આઈપીએલ દરમિયાન કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રાખે છે? નહિ કારણ કે તે પૈસા આપે છે. જો સ્ટાર ખેલાડી ફાઈનલમાં રમશે ત્યારે જ રણજી લોકપ્રિય થશે.
જયદેવ શાહે વધુમાં કહ્યું કે હું રણજી ફાઈનલમાં રવીન્દ્ર જાડેજાને જોઈ પસંદ કરીશ. માત્ર જાડેજાને જ નહિ મોહમદ શમીને પણ બંગાળ માટે જોવા માંગુ છું. "સૌરાષ્ટની ટીમ પાછલા આઠ સિઝનમાં ચોથી વાર ફાઈનલમાં પહોંચી છે. જ્યારે બંગાળ 2007 પછી કુલ 14મી વખત ફાઈનલમાં પહોચ્યું છે.