કોરોનાની બીજી લહેરને કારણે ભારતની આરોગ્ય વ્યવસ્થા તૂટી પડી છે. હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનની અછતને કારણે દર્દીઓની સારવાર થઈ રહી નથી અને કોરોના સંક્રમિતો મોતને ભેટી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય મીડિયામાં કેન્દ્રની નિંદા
આંતરરાષ્ટ્રીય મીડિયાને લઈ હરકતમાં સરકાર
વિદેશ મંત્રીની તમામ રાજદૂતો સાથે બેઠક
કોરોનાની વિકટ સ્થિતિ પેદા થઈ તો આંતરરાષ્ટ્રીય મીડિયાએ મોદી સરકારના નેતૃત્વ પર સવાલ ઉભા કરી દીધા. અનેક આંતરરાષ્ટ્રીય મેગેઝીને પોતાના કવર પેજ પર સ્મશઆનમાં સળગતી લાશો, કબ્રસ્તાનમાં મૃતદેહની લાઈનો, હોસ્પિટલ બહારના દ્રશ્યો અને લોકતોના ચહેરા છાપી ભારતના સંકટને દર્શાવ્યું.
Arrogance, hyper-nationalism and bureaucratic incompetence have combined to create a crisis of epic proportions in India, with its crowd-loving PM basking while citizens suffocate. This is the story of how it all went so terribly wrong #coronavirushttps://t.co/bL8VXkz5RD
મોદી સરકારની આંતરાષ્ટ્રીય મીડિયા ખુબ જ આલોચના કરી હતી. ત્યારે ભારત સરકારે આંતરરાષ્ટ્રીય મીડિયાના રિપોર્ટ્સને એક તરફી ગણાવ્યા છે. વિશ્વભરમાં તૈનાત ભારતીય રાજદૂતો સાથે વિદેશ મંત્રી એસ.જયશંકરે વર્ચુઅલ બેઠક કરી હતી. જયશંકરે કહ્યું કે ભારતને લઈ આંતરરાષ્ટ્રીય મીડિયા એક તરફી રિપોર્ટિંગ ચલાવી રહ્યું છે.
ચૂંટણી રેલીઓ અને કુંભ મેળાને રદ્દ નહીંને લઈને ઉઠ્યા સવાલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સરકારને અયોગ્ય ગણાવી દેવાના આંતરરાષ્ટ્રીય મીડિયાના નેરેટિવનો જવાબ જરૂર આપવો જોઈએ. વિશ્વના પ્રસિદ્ધ સમાચાર પત્રો ન્યૂયોર્ક ટાઈમ્સ, ધ ગાર્જિયન, લી મોંડે, સ્ટ્રેટ્સ ટાઈમ્સ સહિતના મીડિયાએ કોરોના સંકટને હલકામાં લેતા ચૂંટણી રેલીઓ અને કુંભ મેળાને રદ્દ નહીં કરવાને લઈ મોદી સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા.
ભારતમાં કોરોનાની બીજી લહેરનો કહેર યથાવત છે. દર રોજ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. રોજ નોંધાતા આંકડા 4 લાખને પહોંચવા આવ્યા છે. દેશમાં ગુરુવારે એક દિવસમાં કોરોનાના સંક્રમણના 386,888 મામલા નોંધાયા છે. જે બાદ સંક્રમણના કુલ કેસ 1,87,54,984 થઈ ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ એક્ટિવ કેસની સંખ્યા 30 લાખને પાર પહોંચી ગઈ છે.
સૌથી વધારે મોત મહારાષ્ટ્રમાં થયા
સૌથી વધારે મોત 771 મહારાષ્ટ્રમાં થયા છે. આ બાદ દિલ્હીમાં 395, ઉત્તર પ્રદેશમાં 295, છત્તીસગઢમાં 251, ગુજરાતમાં 180, કર્ણાટકમાં 270, ઝારખંડમાં 145, પંજાબમાં 137, રાજસ્થાનમાં 158, ઉત્તરાખંડમાં 85 અને મધ્ય પ્રદેશમાં 95 લોકોના મોત થયા છે. દેશેમાં ક્યાર સુધીમાં કુલ 208313 મોત થયા છે. જેમાં સૌથી વધારે મોત 67985 મહારાષ્ટ્રમાં થયા છે. આ બાદ દિલ્હીમાં 15,306, કર્ણાટકમાં 13, 933, તમિલનાડુમાં 12, 238, ઉત્તર પ્રદેશમાં 11248, પશ્ચિમ બંગાળમાં 8909, પંજાબ અને છત્તીસગઢમાં 8312 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે 70 ટકાથી વધારે મોત અન્ય ગંભીર બિમારીના કારણે થઈ છે.