મંત્રિપરિષદની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારના કામની ગતિ અને દિશામાં સુધાર માટે નિર્દેશ આપ્યા છે. સાથે જ પીએમ મોદીએ કહ્યું કે મંત્રાલયોમાં સંબંધીઓને નિયુક્ત ન કરો. જ્યારે પીએમ મોદીએ પોતાના મંત્રીઓને સલાહ આપી છે કે જે દાવા પૂર્ણ કરી શકો, એ દાવા કરો.
સૂત્રો અનુસાર કેન્દ્રીય મંત્રિપરિષદની બેઠકની અધ્યક્ષતા કરતા પીએમ મોદીએ મીડિયામાં સાર્વજનિક અને બિનજરૂરી રીતે કરવામાં આવતી બિનજરૂરી ટિપ્પણીઓનો ઉલ્લેખ કર્યો અને સ્પષ્ટ રીતે કહ્યું કે માત્ર તથ્ય બતાવો અને એ દાવા કરો જે પૂર્ણ કરી શકાય.
સૂત્રોનું કહેવું છે કે પીએમ મોદીએ પોતાના મંત્રીઓને પોતાના મંત્રાલયો અથવા વિભાગોમાં સલાહકાર ભૂમિકાઓમાં પોતાના નજીકના લોકોને નિયુક્ત ન કરવા કહ્યું છે. સાથે જ પીએમ મોદીના શાસનની ગતિ અને દિશામાં સુધાર માટે નિર્દેશ આપ્યા છે. પીએમ મોદીએ કહ્યું છે કે કેબિનેટ મંત્રીઓ અને રાજ્યના મંત્રીઓની વચ્ચે સારું સમન્વય હોવો જોઇએ.