પ. બંગાળમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી છે અને તે પહેલા અમિત શાહ વારંવાર રાજ્યની મુલાકાત લઇ રહ્યા છે ત્યારે તેઓ જેના ઘરે ભોજન લેવા ગયા હતા તે વ્યક્તિએ ભાજપ પર મોટા આરોપ લગાવ્યા છે.
અમિત શાહનો બંગાળ પ્રવાસ ફરી વિવાદમાં
શાન્તિનિકેતનમાં એક બાઉલ ગાયકના ઘરે લીધું હતું ભોજન
અમિત શાહની મેજબાની કરનાર વ્યક્તિ ભાજપ પર લગાવ્યા આરોપ
અમિત શાહ હાલમાં પ. બંગાળના પ્રવાસ પર ગયા હતા ત્યારે તેમણે બાસુદેબ દાસના ઘરે ભોજન લીધું હતું. જોકે બાસુદેબ કહી રહ્યા છે કે અમિત શાહ તેમના ઘરે આવ્યા પરંતુ તેમની સાથે વાત પણ ન થઇ શકી, આટલું જ નહીં ભારતીય જનતા પાર્ટીએ તેમને કોઈ પ્રકારની મદદ પણ કરી નથી.
રાજ્ય સકરાર હવે તેની મદદ કરશે
બાઉલ ગાયક બાસુદેબ દાસનું કહેવું છે કે રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહથી કોઈ વાતચીત ન થઇ શકી કારણ કે તે આવ્યા અને આવાસ પર ભોજન લઇને તરત જતા રહ્યા હતા. અમિત શાહે તેમના નિવાસસ્થાને ભોજન લીધા બાદ રાજ્યની સરકારે તે વ્યક્તિને સહાયતા આપવાનું નક્કી કર્યું છે. હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે અમિત શાહના પ્રવાસ બાદ જ મમતા સરકારને આ વ્યક્તિની તકલીફો દેખાઈ રહી છે.
અમિત શાહ સાથે ન થઇ શકી વાત
દાસે કહ્યું છે કે તે હવે મમતા બેનર્જીના કાર્યક્રમમાં પણ સામેલ થશે અને મમતા બેનર્જીની પાર્ટી દ્વારા દાસને આર્થિક સહાયતા આપવાનો વાયદો કરવામાં આવો રહયો છે. દાસે વધુમાં કહ્યું કે અમિત શાહ આટલા મોટા વ્યક્તિ છે એટલે હું તેમને ઘણું બધું કહેવા માંગતો હતો અને બાઉલ કલાકારો માટેની સ્થિતિ વિશે પણ વાત કરવા માંગતો હતો.
અમિત શાહ સાથે વાત ન થઇ શકી
દાસે કહ્યું કે રાજ્ય સરકાર તો તેમની મદદ કરી રહી છે પરંતુ શું કેન્દ્ર પણ તેમાં કશું કરી શકે છે ? સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે હું તેમને જણાવવા માંગતો હતો કે દીકરીની ઉચ્ચ શિક્ષામાં પણ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ખૂબ ખુશી છે કે તે મારા ઘરે આવ્યા, ભોજન લીધું અને બાઉલ ગીતો પણ સાંભળ્યા. પણ તેમની સાથે વાત ન થઇ શકી તે વાતનું મને દુઃખ છે.
તેમણે કહ્યું કે અમિત શાહના ગયા પછી કોઈ પણ ભાજપ નેતાએ મારો સંપર્ક કર્યો નથી.
જોકે ભારતીય જનતા પાર્ટીએ આ મામલે પણ મમતા સકરાર પર આરોપ લગાવ્યા છે. દાસના ઘરે અમિત શાહનો ભોજન કાર્યક્રમ આયોજિત કરનારા ભાજપા મહાસચિવ અનુપમ હાજરાએ કહ્યું કે અમિત શાહ ત્યાં ભોજન કરવા ગયા તે બાદ મમતા સરકારનું ધ્યાન દાસની સમસ્યા પર ગયું છે, અઆત્લા વર્ષ સુધી નહીં. આ પરથી સાબિત થાય છે કે ગરીબો પર સૌથી પહેલા ભાજપની જ નજર પડે છે.
હાજરાએ કહ્યું કે જો અમિત શાહ કોઈના ઘરમાં ભોજન કરે અને તે બાદ આ પ્રકારની મદદ કરવામાં આવતી હોય તો આવા કાર્યક્રમ હજુ કરવામાં આવશે.