કેન્દ્ર સરકારે થોડા મહિના પહેલા સિનિયર સિટિઝન માટે ડોર ટુ ડોર વેક્સિનેશન શરુ કરાવ્યું હોત તો ઘણા લોકોના જીવ બચી ગયા હોત.
બોમ્બે હાઈકોર્ટના કેન્દ્ર સરકારને સવાલ
કેન્દ્ર સરકારે ડોર ટુ ડોર વેક્સિનેશન શરુ કરવાની જરુર હતી
ડોર ટુ ડોર વેક્સિનેશનથી ઘણા સિનિયર સિટિઝનના જીવ બચી ગયા હોત
બોમ્બે હાઈકોર્ટના ડિવિઝન બેન્ચ ચીફ જસ્ટિસ દિપંકર દત્તા અને જસ્ટિસ જીએશ કુલકર્ણીએ સવાલ કર્યો કે શા માટે કેન્દ્ર સરકાર સિનિયર સિટિઝનો માટે ડોર ટુ ડોર વેક્સિનેશન પ્રોગ્રામ શરુ કરતી નથી. સિનિયર સિઝિઝન વેક્સિન સેન્ટર જઈ શકતા ન હોવાથી તેમને માટે ડોર ડુ ડોર વેક્સિન આપવી જરુરી છે.
વ્હીલચેરમાં રહેવા મજબૂર તથા 75 વર્ષથી ઉપરના સિનિયર સિટિઝનો માટે ડોર ટુ ડોર વેક્સિનેશન શરુ કરાવવાની બે વકીલ ધ્રુતી કાપડીયા અને કુનાલ તિવારીની અરજી પર સુનાવણી કરતા બોમ્બે હાઈકોર્ટે આ મુજબનું જણાવ્યું હતું.
22 એપ્રિલે પણ ડોર ડુ ડોર વેક્સિનેશનનો આદેશ આપ્યો હતો
બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસે જણાવ્યું કે 22 એપ્રિલે પણ સરકારને ડોર ટુ ડોર વેક્સિનેશન શરુ કરાવવાનો આદેશ અપાયો હતો. આ આદેશ આપ્યાને 3 અઠવાડિયા જેટલો સમય થયો છે તેમ છતાં પણ કેન્દ્ર સરકારે કોઈ જવાબ વાળ્યો નથી.
ભારતમાં આપણે ઘણા બધા કામ મોડા કરીએ છીએ
જસ્ટિલ કુલકર્ણીએ જણાવ્યું કે ભારતમાં આપણે ઘણા બધા કામ મોડા કરીએ છીએ અને દેશમાં ઘણી વસ્તુઓ ગોકળગાયની ગતિએ આવે છે. જ્યારે સિનિયર સિટિઝનના જીવન મરણનો સવાલ હોય ત્યારે આપણે શા માટે ડોર ટુ ડોર વેક્સિનેશન શરુ ન કરી શકીએ. તેમણે કહ્યું કે જો કેન્દ્ર સરકારે થોડા સમય પહેલા જ ડોર ડુ ડોર વેક્સિનેશન શરુ કરાવ્યું હોત તો કોરોનાથી જીવ ગુમાવનાર લોકો અને નામાંકિત હસ્તીઓના જીવ બચી શક્યા હોત.
દેશમાં કુલ કેસની સંખ્યા 2,33,40,428 થઈ ગઈ
કોરોના વાયરસની બીજી લહેર હજું પણ કહેર વર્તાવી રહી છે. દેશમાં કોરોનાના નવા કેસમાં ગત એક બે દિવસોમાં અછત જોવા મળી રહી છે. મોતની સંખ્યામાં વધારાએ ચિંતા વધારી છે. દેશમાં પહેલી વાર મોતની સંખ્યાએ રેકોર્ડ નોંધાવ્યો છે. પહેલી વાર 24 કલાકમાં દેશમાં 4200 લોકોના મોત થયા છે. ભારતમાં નવા 3.48 લાખ નવા કેસ નોંધાયા છે. જેથી દેશમાં કુલ કેસની સંખ્યા 2,33,40,428 થઈ ગઈ છે.
પહેલી વાર 24 કલાકમાં 4200 લોકોના મોત
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર ગત 24 કલાકમાં સંક્રમણના 3,48,529 નવા મામલા સામે આવ્યા છે અને 4200 અને લોકોના મોત થયા બાદ કુલ મોતની સંખ્યા વધીને 2,54,227 થઈ ગઈ છે. 2 મહિનામાં સતત વૃદ્ધિ બાદ એક્ટિવ કેસની સંખ્યા 36, 99, 665 થઈ છે. જે સંક્રમણના કુલ મામલાના 16.16 ટકા છે. જ્યારે સંક્રમિત લોકોના સ્વસ્થ થવાનો દર 82.75 ટકા છે.