રાજ્યના વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે સરકારે સહાયની મોટી જાહેરાત કરી છે. પાક નુકસાન મુદ્દે રાજ્યના તમામ ખેડૂતોને સહાય આપવાની જાહેરાત કરાઈ છે. રાજ્યના 18,369 ગામોના 56.36 લાખ ખેડૂતોને લાભ આપવામાં આવશે. 700 કરોડનું પેકેજ વધારી 3,795 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવશે. ત્યારે બીજી બાજુ ખેડૂત ઇયળોએ પાક નિષ્ફળ કર્યો છે. જેને લઇને ખેડૂત પોતાના ખેતરના પાકમાં ટ્રેક્ટર ફેરવી નાખ્યું છે.
ગીરસોમનાથના ખેડૂતોની મુશ્કેલીમાં થયો વધારો
વરસાદ બાદ ગુલાબી ઈયળનો ઉપદ્રવ
ઈયળના ત્રાસથી કપાસ પર ખેડૂતોએ ટ્રેક્ટર ફેરવ્યું
ગીરસોમનાથમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. કમોસમી વરસાદ બાદ હવે કપાસના પાકમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ થતા પાકને ભારે નુકસાન થયું છે. કરેની ગામે ખેડૂતોના કપાસમાં ઈયળો લાગી પડતા પાક નિષ્ફળ ગયો છે. ઈયળના ત્રાસથી કંટાળી ખેડૂતે પોતાના પાક પર ટ્રેક્ટર ફેરવ્યું છે.
એક વીડિયોમાં ખેડૂત કહી રહ્યા છે કે ગુબાલી ઇયળ કપાસમાં લાગી છે. આની કોઇ દવા પણ નથી. ત્યારે તમે વીડિયોમાં જોઇ શકો છો ખેડૂતે પોતાના કપાસના પાકમાં નુકસાન થવાથી ટ્રેક્ટર ફેરવી નાખ્યું છે.
મહત્વનું છે કે, રાજ્યમાં કમોસમી વરસાદથી પાકને ખુબ નુકસાન થયું છે. જ્યારે ખેડૂત તમામ પ્રકારે પોતાના પાકને બચાવવા માટે મહેનત કરતો રહે છે પરંતુ કોઇને કોઇ પ્રકારે ખેડૂતને માર પડતો રહે છે. ત્યારે તીડ, નીલગાય, ભૂંડ અને ઇયળ પાકને નુકસાન પહોંચાડે છે.