ગુજરાતમાં વિકાસની વાતો ખાલી કાગળ પર જ દેખાય છે કારણ કે તે ખરેખર વાસ્તવિકતામાં દેખાતી જ નથી. ગામડાઓનો વિકાસ જ સાચો વિકાસ છે પણ ભાવનગરના 20 ગામ કેટલાય દિવસો અને મહિનાઓથી હેરાન થઈ રહ્યા છે અને તંત્ર ઘેરી નિદ્દામાં ગરકાવ છે, વિકાસગીત ગામડાના વિકાસ વગર અધુરૂ છે.
ભાવનગરના સમઢીયાળા ગામે કોઝવે તૂટતાં હાલાકી
કોઝવે તૂટતાં 20 જેટલા ગામના લોકો પરેશાન
લોકો જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર
ભાવનગરના ઉમરાળાના સમઢિયાળા ગામે કોઝવે તૂટતા 20 ગામના લોકોની મુશ્કેલી વધી છે. ગુજરાતમાં ગામડાઓનો વિકાસ કદાચ વિકાસની વ્યાખ્યામાં નથી આવતો એટલે જ અંતરિયાળ ગ્રામજનોની વેદના તંત્ર સુધી પહોંચતી જ નથી અથવા પહોંચે તો બહાનાઓ અને દિલાસાઓ સિવાય નક્કર પગલા લેવાય તેવી કોઈ ઘટના ઘટતી જ નથી કેમ તંત્ર લોકો પરેશાનીમાં હોય ત્યારે આ રીતે આંખ આડા કાન કરીને ઉભુ રહી જાય છે.
અહીં કોઝવે તૂટતા 20 જેટલા ગામના લોકો જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબુર છે. આ કોઝવે પરથી જ પસાર થઇને અહી આવેલા ગંગાસતી-પાનબાઇના મંદિરે જવાય છે. અહીં ગોકળગાયની ગતિએ પુલનું કામ થતું હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.