જન્માષ્ટમીના પાવન અવસર પર આજે અમે તમે ભગવાન કૃષ્ણની એક એવી મૂર્તિ વિષે જણાવીશું કે જે દુનિયામાં સૌથી મોંઘી છે. ઝારખંડની પશ્ચિમમાં યુપીની સીમા પાસે ગઢવા જિલ્લાના એક ગામમાં બંસીધર મંદિર છે. આ મંદિરમાં રહેલી ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ સૌથી વધારે કિંમતની માનવામાં આવે છે. આ પ્રતિમાની એન્ટિક વેલ્યૂ 2000 કરોડથી પણ વધારે હતી જે 2014માં આંકવામાં આવી હતી.
ભગવાનની અપ્રતિમ પ્રતિમા
પ્રતિમાની કરોડોમાં છે કિંમત
જનમાષ્ટમી પર કરો દર્શન
સામાન્ય રીતે 4 થી 5 ફૂટની દેખાતી પ્રતિમાનો મોટો હિસ્સો જમીનમાં છે. પ્રતિમા શેષનાગ ઉપર બિરાજીત મૂર્તિમાં શેષનાગનો ભાગ જમીનની અંદર છે. આ પ્રતિમાને લઇને મંદિરનું ટ્રસ્ટ કહે છે કે ભગવાનની કિંમત લગાવી શકાય નહી. બંસીધરજીની લોકપ્રિયતાને જોતા ગામનું નામ ઉંટારીથી બદલીને બંસીધર કરી દેવામાં આવ્યું છે.
કૃષ્ણ સાથે રાધાજીની 120 કિલોની મૂર્તિ
1280 કિલો સોનાની કૃષ્ણની પ્રતિમા સાથે રાધાજીની પણ એક મૂર્તિ છે. આ મૂર્તિ અષ્ટધાતુની છે અને તેનુ વજન 120 કિલો છે. આ મૂર્તિની કિંમત પણ કરોડોમાં છે.
ઝારખંડમાં કોરોનાનો કહેર જોતા આ મંદિર 15 માર્ચથી બંધ છે. જો કે તેમા પૂજા પાઠ નિયમિત થાય છે. દર વર્ષે અહીં ખૂબ ધામધૂમથી જન્માષ્ટમી ઉજવવામાં આવે છે પરંતુ આ વખતે કોરોના હોવાથી અહીં ઉજવણી નહી થાય.
ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિની કિંમત 716 કરોડ કરતા પણ વધારે આંકવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર ઓરંગઝેબની દીકરી જૈબુન્નિસા કૃષ્ણભક્ત હતી. તે સમયે મુઘલોનો ખજાનો કલકત્તાથી દિલ્હી લઇ જવામાં આવતો હતો. મુઘલોનો ખજાનો અહીથી પસાર થતા લૂંટી લેવામાં આવતો હતો. મુઘલોએ આ મૂર્તિ ચોરી હતી અને જૈબુન્નિસાએ આ મૂર્તિને ઉંટારીમાં રહેતા શિવાજીના સરદારો સુધી પહોંચાડી હતી.