હજુ તો બ્લુ ફ્લેગ બીચ જાહેર જ થયો છે ત્યારે શિવરાજપુર બીચ ભ્રષ્ટાચારના મામલે ચર્ચાના ચકડોળે ચડ્યો છે
પાર્કિંગ અને બીચની ફી ની રકમ કોના ખિસ્સામાં જાય છે?
ભ્રષ્ટાચારના મામલે ખુલાસો કરવા લોકસુનવણી માટે પડકાર ફેંકાયો
ભ્રષ્ટાચારનો મોટો પુરાવો એ પણ એક છે કે જે ફી યાત્રિકો પાસે વસુલવામાં આવે છે
વિશ્વ ફલક પર દ્વારકા પાસેના શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ બીચની માન્યતા મળી છે ત્યારે આ બીચમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો થતા આ બીચમાં વિવાદ જાગ્યો છે સ્થાનિક જાગૃત નાગરિકે અશોકભા માણેક દ્વારા બીચમાં ગુજરાત ઇકોલોજી કમિશન ગાંધીનગર દ્વારા વ્યાપક ભ્રષ્ટાચાર કરાયો હોવાના લાગ્યા આક્ષેપો કરાયા છે આ આક્ષેપમાં સત્યતા એટલે લાગે છે કે બીચ ફી માં ન કોઈ તારીખ કે ન કોઈ અધિકારીના હસ્તાક્ષર ઉઘાડી લૂંટ થતી હોવાનું સામે આવ્યું છે.
પાર્કિંગ અને બીચની ફી ની રકમ કોના ખિસ્સામાં જાય છે?
સ્થાનિકો પ્રવાસીઓ પણ ફી મામલે સુવિધાની માંગ કરી રહ્યા છે હજુ બ્લુ ફ્લેગ બીચ જાહેર થયો ત્યાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવતા તંત્ર સામે સવાલો ઉભા થયા છે સ્થાનિક નાગરિકે RTI મારફતે આ સમગ્ર ભ્રષ્ટાચાર મામલે માહિતી માંગી તો તંત્ર દ્વારા એ માહિતી ઉપલબ્ધ ન હોવાનું જણાવી દીધું તો સવાલ મોટો એ થાય કે આખરે પાર્કિંગ અને બીચની ફી ની રકમ કોના ખિસ્સામાં જાય છે અત્યાર સુધી લાખો રૂપિયા ફી તો પાર્કિંગમાં વસુલવામાં આવી છે તો આ ફી અને બીચ ફી ની રકમ આખરે ક્યાં ગઈ તે મોટો સવાલ છે.
ભ્રષ્ટાચારના મામલે ખુલાસો કરવા લોકસુનવણી માટે પડકાર ફેંકાયો
નાગરિકો પાસે જે બીચ પર જવાની ફી વસુલવામાં આવે છે ત્યાં કોઈ વિશેષ સુવિધા તો ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા આપવામાં આવતી નથી આ બીચ કમિટી ના અધ્યક્ષ ખુદ કલેકટર છે તો તેઓને પણ આ મામલે જાગૃત નાગરિકે ગ્રામજનો સમક્ષ હાજર રહી ભ્રષ્ટાચારના મામલે ખુલાસો કરવા લોકસુનવણી માટે પડકાર ફેંકાયો છે ત્યારે આખરે ઇકોલોજી કમિશન અને કલેકટર આ પડકારને 16 તારીખે સામે આવી ને શુ જવાબ આપશે ?
ભ્રષ્ટાચારનો મોટો પુરાવો એ પણ એક છે કે જે ફી યાત્રિકો પાસે વસુલવામાં આવે છે
હાલ તો તંત્ર પણ આંખ આડા કાન કરી ઉઘાડી લૂંટ મામલે મૌન છે ત્યારે જાગૃત નાગરિકે કરેલા આક્ષેપો અને જાહેરમાં ચર્ચા કરવાના પડકાર ફેંકવા મામલે ગુજરાત ઇકોલોજી કમિશન અને જવાબદાર અધિકારીઓ હાલ તો આ મામલે મૌન ધારણ કરીને બેઠા છે ત્યારે ભ્રષ્ટાચારનો મોટો પુરાવો એ પણ એક છે કે જે ફી યાત્રિકો પાસે વસુલવામાં આવે છે એમાં કેમ તારીખ સમય કે જવાબદાર અધિકારીની સહી કરવામાં આવતી નથી શુ આવી જ સ્લીપ છાપી યાત્રિકો પાસેથી રકમ વસુલવામાં આવે છે ?
અધિકારીઓની મિલી ભગતથી આ લૂંટ ચલાવાય રહી હોવાનો આક્ષેપ
યાત્રિકોમાં પણ હવે ફી મામલે કચવાટ જોવા મળી રહ્યો છે વિશેષ કોઈ સુવિધા અપાતી ન હોઈ તો આખરે ચાર્જ ફી શુ કામ વસુલવામાં આવે છે કેન્દ્ર સરકારની સ્પષ્ટ ગાઈડ લાઈન હોઈ બ્લુ ફ્લેગ બીચમાં નહીં નફો નહીં નુકસાનના ધોરણે કામગીરી કરવાની થતી હોય છે પરંતુ શિવરાજપુર બીચમાં ઉઘાડી લૂંટ ચલાવાતી હોઈ અને માત્ર વ્યાપારિકરણ નફા માટે અને અમુક અધિકારીઓની મિલી ભગતથી આ લૂંટ ચલાવાય રહી હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે