દ્વારકાની સલાયા નગરપાલિકાના કૌભાંડની આખરે તપાસ શરૂ કરવામાં આવી છે. ફરિયાદના 2 મહિના બાદ તપાસ કરવા માટે અધિકારીઓ પહોંચ્યા છે. સલાયામાં દાતાએ ડોનેશન આપીને માર્ગ બનાવ્યો હતો. જોકે દાતાએ બનાવી આપેલા રોડને નગરપાલિકાએ પોતે જ બનાવ્યો હોવાનું દર્શાવ્યું અને કામનું ટેન્ડર બહાર પાડી ખોટા બિલ બનાવીને લાખો રૂપિયાની ઉચાપત કરી હતી. કોઈ જાતનું કામ થયા વિના જ NOC આપી દેવાયું હતું. મહત્વનું છે કે આ મામલે નગરપાલિકાના પૂર્વ પ્રમુખે ફરિયાદ નોંધાવી હતી. હાલ સલાયા નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન છે.