લોકસભા ચૂંટણી ચમરસીમાએ પહોંચી છે. ત્યારે ચોથા તબક્કાની ચૂંટણી માટે તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પોતાની જીત મેળવવા લોકોને રાજી કરતા કરતા નેતાઓ ક્યારેક એવું બોલી બેશે છે, તેનું તેમને પણ ભાન હોતું નથી, તો યૂપીના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યનું એક નિવેદન સામે આવ્યુ છે કે જેમાં તેઓ પીએમ મોદીને ભૂલથી પાગલ કહી બેસે છે.
સમગ્ર અહેવાલ વિશે જણાવીએ તો, પીએમ મોદીની તારીફ કરતા કરતા યૂપીના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય પીએમ મોદીને પાગલ બોલી બેસે છે. કેશવ પ્રસાદ મૌર્યનો આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. કેશવ પ્રસાદ મૌર્ય બારાબંકીમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેઓએ કહ્યું કે, ભ્રષ્ટાચારીઓ વિચારતા હતા કે તેમને કોઈ પૂછી શકે નહીં, પરંતુ આજે બધુ જ શક્ય છે કારણ કે મોદી છે તો શક્ય છે.
ભ્રષ્ટાચારીઓ પર સતત એક્શન લેવાઈ રહી છે. આ ભ્રષ્ટાચારીઓ અને વિરોધીઓ જાણે છે કે આ મોદી ખૂબ જ પાગલ છે. અમે જેટલું 70 વર્ષમાં લૂંટ્યું છે તે બધુ પીએમ મોદી ગરીબો અને ખેડૂતોની ઝોળીમાં નાખી દેશે. જેથી તેમને રોકવા જોઈએ. 23 મે એટલે કે સપા-બસપા-કોંગ્રેસ ગઈ. 23 મે બાદ જ્યારે નરેન્દ્ર મોદી સત્તામાં આવશે તો ભ્રષ્ટાચારીઓ ગભરાશે કે નરેન્દ્ર મોદી તેમને તિહાડ જેલમાં ના મોકલી દે.