અમરેલી: રાજ્યમાં ભાજપની સરકાર ભષ્ટ્રાચારી હોવાના અવારનવાર આક્ષેપો કરતી કોંગ્રેસના વિપક્ષના નેતા પરેશ ધાનાણીની કોંગ્રેસ શાસિત અમરેલી નગરપાલિકામાં લાખોનો ભ્રષ્ટાચાર કાગળ પર કરીને સરકારની વિવિધ ગ્રાંટોનો દુરપયોગ કર્યાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
RTI દ્વારા માહિતી મેળવવામાં આવી હતી. તેમાં જાણવા મળ્યુ હતું કે 25 લાખનો બગીચો અને 19 લાખની માટી નાખી હોવાનું જાણવા મળ્યુ હતું. કોંગ્રેસ શાષિત પાલિકામાં ભષ્ટ્રાચાર થતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ જગ્યા પર વીટીવી દ્વારા રીયાલીટી ચેક કરતા માટી મોરમની જગ્યાએ વેસ્ટ પત્થર અને માટી થોડીઘણી નાખીને 19 લાખ રૂપિયા કાગળ પર હજમ થઇ ગયા છે તેવું જાણવા મળ્યુ હતું.
RTIમાં આ જાણકારીનો પર્દાફાશ થતા પાલિકા પ્રમુખ અલ્કાબેન ગોંડલીયા રજા પર ઉતારી ગયા હતાં. વિપક્ષના નેતાના ઘરમાંજ પાલિકાએ લાખોનો ભષ્ટાચાર કરે છે અને ભાજપ સામે આક્ષેપો કરે છે તેનું સ્થાનિકોએ જણાવ્યુ હતું.