નવસારીઃ ગરીબ અને આર્થિક રીતે નબળા દર્દીઓને રાજ્ય સરકાર દ્વારા માઁ અમૃતમ યોજના હેઠળ રૂ.2 લાખ સુધીની સરકારી સહાય આપવામાં આવે છે. જેનાં કારણે ગરીબ દર્દીએ સારવાર માટે કોઈની પાસે હાથ લંબાવવો ન પડે. રાજ્ય સરકારની માન્યતા પ્રાપ્ત હોસ્પિટલોમાં દર્દીઓ વિનામુલ્યે રોગનું નિદાન કરી શકે છે.
જેનાં માટે નવસારીમાં પણ અમુક હોસ્પિટલોમાંની રાજ્ય સરકાર માન્યતા પ્રાપ્ત હોસ્પિટલમાં આવા દર્દીઓને સારવાર આપવામાં આવે છે. પરં તુ કેટલાંક દર્દીઓ દ્વારા હોસ્પિટલનાં સંચાલકો દ્વારા રૂ.15 હજારથી વધુની માંગણી કરવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે.
જેનાં કારણે યશફીન હોસ્પિટલમાં શહેરનાં લોકોએ ભારે હંગામો મચાવ્યો હતો. આ રીતે અનેક વિવાદોમાં સતત આવતી યશફીન હોસ્પિટલ ફરી વિવાદમાં ફસાઇ છે.
એક તરફ રાજ્ય સરકારનાં માઁ અમૃતમ કાર્ડનાં રૂપિયા પણ પોતાનાં ખિસ્સામાં નાખતી હોસ્પિટલ ગરીબ દર્દીનાં પરસેવાનાં અથવા દેવું કરીને બીલ ભરવા માટે મજબુર કરી રહી છે એવો આક્ષેપ દર્દીઓએ હોસ્પિટલનાં સંચાલકો પર કર્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં ન્યાયિક તપાસની માંગ ણીઓ કરી છે. જેમાં સી.સી.ટીવીની તપાસ થાય એવો આગ્રહ પણ રાખવામાં આવ્યો છે.