દ્વારકાના ખંભાળિયા તાલુકા પંચાયતની કચેરી બનાવતા સમયે કરવામાં આવેલી ભ્રષ્ટાચારની પોલ ખુલી છે. જિલ્લામાં વરસાદ થતા પંચાયતની કચેરીમાં પાણી ભરાયા છે. કચેરીના લાઈટના બોર્ડમાંથી પણ પાણી નિકળ્યા હતા. એક વર્ષ પહેલા જ તાલુકા પંચાયતનું બિલ્ડીંગ બનાવવામાં આવ્યુ હતુ. આ બિલ્ડીંગને બનાવવામાં નબણી ગુણવત્તાનું મટિરીયલ વાપરવામાં આવ્યુ હોય તેવું લાગી રહ્યું છે. માત્ર એક જ વર્ષમાં બિલ્ડીંગમાં પાણી ટપકતા અનેક સવાલ પણ થઈ રહ્યા છે..