સુરતઃ મહાનગર પાલિકામાં ફરજ બજાવતાં કાર્યપાલક ઈજનેર ડેપ્યુટી ઈજનેર અને આસિસ્ટન્ટ ઈજનેર સામે ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધવામાં આવી છે. ACBએ 2 મહિનાની તપાસ બાદ તેમની વિરૂદ્ધ ભ્રષ્ટાચારનો ગુનો નોંધીને અધિકારીઓનાં ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
કેસની વિગત જોઈએ તો ગોપાલ નામનાં એક વ્યક્તિએ ટેન્ડર ભર્યું હતું અને તમામ ડોક્યુમેન્ટ બરાબર હોવાં છતાં ટેન્ડરને ક્વોલિફાય થવા દીધું ન હતું અને અન્યને ફાયદો કરાવવા માટે અધિકારીઓએ તેને આપી દીધું હતું જેનાં કારણે ACBમાં ફરિયાદ કરવામાં આવી હતી.
જો કે આ સમગ્ર મામલે ACBએ 2 મહિનાની તપાસ બાદ ત્રણ અધિકારીઓ સામે સત્તાનો દુરૂપયોગ કરવાનો ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
આ અધિકારીઓમાં કાર્યપાલક ઈજનેર માનસંગ ચૌધરી ડેપ્યુટી ઈજનેર નિલેશ રામાવત અને આસિસ્ટન્ટ ઈજનેર નિલેશ પટેલનો સમાવેશ થાય છે. આ અધિકારીઓએ રૂપિયા 33 લાખનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ લાગ્યો છે.