દિલ્હીમાં એક મૃતદેહ અઠવાડીયા સુધી અંતિમ સંસ્કાર માટે રાહમાં છે. ત્યારે, ગામમાં ગરીબીને લઇને પત્નીની પરિસ્થિતિ આ છે કે નાના-નાના પાંચ બાળકોને લઇને આટલા દુર સુધી ન આવી શકી. પોસ્ટમોર્ટમ કરાવીને મૃતદેહને ગામમાં ન લઇ જઇ શકી.
દિલ્હીમાં ભારત નગરમાં ભાડામાં રહેતા અને મજૂરી કરતા હતા સુનીલ
ગોરખપુર ચૌરીચૌરા ગામના રહેવાસી હતા સુનીલ
લૉકડાઉન દરમિયાન ચિકન પૉક્સ થઇ ગયો
લૉકડાઉનની આ દુર્ઘટનામાં તે લાશ અને પરિવાર વચ્ચે અંતર અંદાજિત 850 કિલોમીટરનું છે. લાચારી વચ્ચ ગામવાળાઓને કહેવા પર પતિના નામનું પુતળુ બનાવ્યું અને અંતિમ સંસ્કાર કરવા પડ્યા. એક વર્ષના દીકરાથી પુતળાને મુખાગ્નિ અપાવી અને તહસીલદાર દ્વારા દિલ્હી પોલીસને અપીલ કરી કે તેઓ તેમના પતિના અંતિમ સંસ્કાર દિલ્હીમાં જ કરી દે. બની શકે તો બાદમાં તેમની અસ્થિઓ ગામ સુધી પહોંચાડી દે.
આ જે તસ્વીરમાં તુટેલી ઝૂંપડીની બહાર માંના ખોળામાં નાના-નાના બાળકો દેખાઇ રહ્યા છે. આ નિસ્બૂ (10), ખુશબૂ(8), નીશૂ(6), અનુષ્કા(4), દીકરો અભિ(1) છે. તેમણે હજુ પણ પપ્પાની રાહ છે. પરંતુ પત્ની પૂનમ નથી. દિલ્હીથી અંદાજિત 850 કિલોમીટર દૂર ગોરખપુર જિલ્લા ચૌરીચૌરાના ગામના ડુમરી ખુર્દમાં ટૂટેલી ઝૂંપડીમાં રહે છે. ન જમીન છે, ન સંપત્તિ.
જોકે, પૂનમના પતિ સુનીલ જે દહાડી મજૂર હતા, દિલ્હીમાં ભારત નગરના પ્રતાપ બાગમાં ભાડા પર રહેતા હતા. લૉકડાઉન દરમિયાન ચિકન પોક્સ થઇ ગયા. 11 એપ્રિલે તેમની તબિયત લથડી. સ્થાનિક લોકોએ કોરોનાના ડરે પોલીસને કૉલ કર્યો. ભારત નગર પોલીસ સ્ટેશનના એસઆઈ આનંદસિંહે એમ્બ્યુલન્સ બોલાવીને સુનીલને બાડા હિંદુરાવમાં દાખલ કરાવ્યા. ત્યાંથી બીજા, પછી ત્રીજી હોસ્પિટલ રેફર કરતા અંતમાં સફદરજંગ મોકલી દીધા. સારવાર દરમિયાન 14 એપ્રિલે સુનીલે દમ તોડ્યો. જોકે કોરોના ટેસ્ટના રિપોર્ટ નેગેટિવ હતા.
પોલીસની મુશ્કેલરી આ છે કે તેના પરિવારને જાણ થઇ હતી. સુનીલનો મોબાઇલ આ દિવસો રૂમમાં રહ્યા. ગામથી તેમનો પરિવાર પાડોશીઓની મદદથી સુનીલને ફોન કરતો રહ્યો. કેટલાક સમય સુધી રિંગ જતી રહી, બાદમાં ફોન ડિસ્ચાર્જ થઇ ગયો. પોલીસે મોબાઈલ ચાર્જ કર્યો, તો ગામથી ફરી ફોન આવ્યો. પોલીસે ફોન રિસીવ કર્યો. જણાવ્યું કે, સુનીલનું નિધન થઇ ગયું છે. મૃતદેહને આવીને લઇ જાઓ. પોલીસે મોર્ચરીમાં મૃતદેહને સુરક્ષિત રખાવી દીધો.
પરંતુ સુનીલના પરિવારનની દુશ્વારી આ કે ઘર પર તેમની પત્ની પુનમ અને નાના 5 બાળકો સિવાય કોઈ નથી. 4 દીકરીઓ અને નાના બાળકો છે. સુનીલ જ ઘરમાં એક કમાનાર હતો. ખરાબ પરિસ્થિતિમાં જીવી રહેલા સમગ્ર પરિવાર વિખેરાય ગયો છે. પરિસ્થિતિ એ છે કે પતિના મૃતદેહને લેવા પુનમ દિલ્હી નથી આવી શકતી. તેઓ આજ સુધી ગામથી નથી નિકળી. લૉકડાઉનમાં ગામથી કોઈ આવવા તૈયાર નથી. માં ને રોતા વિખેરાતા જોઈને બાળકો પણ નથી સમજી શકતા, શું થયું. દિલ્હી પોલીસ વારંવાર સંપર્ક કરતી રહી. અનેક દિવસો વીતી ગયા, તો ત્યાંના એસએચઓનો સંપર્ક કર્યો, ત્યારે જઇને પરિસ્થિતિની જાણ થઇ.