વડોદરામાં રખડતા ઢોરોને લઈને તંત્ર દ્વારા એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં 15 દિવસમાં રખડતા પશુંઓને મુક્ત કરવાનું અભિયાન હાથ ધરવામાં આવશે. જેમા પશુંપાલકો પાસેથી આકરા
વડોદરામાં રખડતા ઢોર મામલે તંત્ર દ્વારા એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમા એક રોડ મેપ બનાવીને કોર્પોરેશને આ એકશન પ્લાન બનાવ્યો છે. છેલ્લા ઘણા સમયથી વડોદરામાં રખડતા પશુંઓનોને કારણે લોકો હેરાન થઈ રહ્યા હતા. જેને લઈને તંત્ર હવે એકશન મોડમાં આવી ગયું છે અને કડક પગલા ભર્યા છે.
પશુંપાલકોને મળશે વૈકલ્પિક વ્યવસ્થા
તંત્ર દ્વારા હવે 15 દિવસમાં રખડતા પશુને મુક્ત કરવાનું અભિયાન હાથ ઘરવામાં આવશે. તેમજ આકરા દંડ અને સઘન કામગીરી કરવામાં આવશે. સમગ્ર મામલે તંત્ર આરટીઓ અધિકારી અને પોલીસને સાથે રાખીને કામગીરી કરવાનું છે. સમગ્ર મામલે પશુંપાલકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. જે મામલે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.
પશું બીજી વખત પકડાશે તો ડબલ દંડ લેવાશે
આ ઉપરાંત વડોદરાના મેયરે પણ એવું નિવેદન આપ્યું છે કે જો રખડતા પશુંને કારણે કોઈ નાગરીકનું મોત થશે તો તેના માલિકને પાસા કરવામાં આવશે. સાથેજ તેમણે કીધું કે શહેરમાં પોલીસ અને કોર્પોરેશનનું સંયુક્ત અભિયાન છે જેને હાથ ધરવામાં આવશે. ઉપરાંત તેમણે કીધુ કે જો એકનું એક પશું બીજી વખત પકડાશે તો દંડની રકમ પર ડબલ લેવામાં આવશે.
4 ઝોનમાં પશુંઓ માટે જમીન ફાળવવામાં આવશે
ઉલ્લેખનીય છે કે શહેરમાં 20 હજાર જેટલા પશુઓ છે જેથી 4 ઝોનમાં પશુઓ માટે જમીન ફાળવવામાં આવશે. ઉપરાંત મેયરે એવું પણ કહ્યું છે જો જરૂર જણાય તો કલેક્ટર પાસે ગૌચારની જમીન પણ માગવામાં આવશે. સમગ્ર મામલે મેયરે એવું કહ્યું છે કે જ્યા સુધી વ્યવસ્થા ના થાય ત્યા સુધી તેઓ રખડતા પશું પકડવા માટે 24 કલાક કામ કરશે.