ગુજરાતમાં આજનો યુવાન નોકરીની સુરક્ષિતતાના કારણે સરકારી નોકરી તરફ આકર્ષાય છે. ગમે ત્યારે પોતાના કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરી દેવા માટે કુખ્યાત કોર્પોરેટે હવે છુટા કરેલા કર્મચારીઓને ફરી તેમની કૌશલ્ય પ્રમાણે બીજી કંપનીમાં નોકરી મળી જાય તેવી યોજના અમલમાં મૂકી છે.
કોર્પોરેટ જગતમાં કૂદકે ને ભૂસકે વધતી અનિશ્ચિતાઓના પગલે ખોટ, નુકશાન, બીઝનેસ બદલવો વગેરે અનેક કારણોથી કંપનીઓ નાનામોટા ધોરણે તેના કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરે છે. આ છુટા થયેલા કર્મચારીઓ લાંબા સમય સુધી બેકાર ન રહે અને તેમને તેમના કૌશલ્ય મુજબની નોકરી બીજી કંપનીમાં મળી જાય તે માટે એક તજવીજ હાથ ધરાઈ છે.
જેમ કે Zomato, Treebo, Shopclue અને Urban ladder જેવી કંપનીઓએ આ વર્ષે સારા રોકાણકારો અને માનવ સંસાધનની કંપનીઓના સંપર્ક સાધીને તેમણે નોકરીમાંથી દુર કરેલા કર્મચારીઓને બીજી નોકરી મળી જાય તેનો પ્રયત્ન કરે છે.
Treebo Hotels નો કેસ
આ જુલાઈ મહિનામાં Treebo Hotels કંપનીએ આશરે ૨૦% કર્મચારીઓને છુટા કરી દીધા. ત્યાર બાદ Treebo એ જ તેના નેટવર્કનો ઉપયોગ કરીને તેના કર્મચારીઓને તેમને લગતી નોકરીમાં લગાડવાના પ્રયાસ શરુ કર્યા. પરિણામે છુટા થયેલા કર્મચારીના ૬૫% કર્મચારીઓએ Razorpay, Bounce, Myntra, Vogo, Meesho અને Zest Money જેવી કંપનીઓમાં નોકરી ઉપર લાગી ગયા.
એવી જ રીતે Zomatoએ આ સપ્ટેમ્બરમાં ૫૪૦ કર્મચારીને છુટા કરી દીધા. કંપનીના હાલના અને જુના કર્મચારી અને અધિકારીઓની મદદથી અડધા કર્મચારીઓને બીજી નોકરી મળી ગઈ.
અહીં ઉલ્લેખનીય છે કે સ્ટાર્ટઅપ્સના કર્મચારીઓ અને માલિક વચ્ચે ખુબ નિકટ સંબંધ હોય છે કારણ કે તેઓ કંપનીના જન્મ સમયથી કંપનીનો ભાગ હોય છે. વખત જતાં સ્ટાર્ટ અપ્સે તેમના જૂના કર્મચારીઓને કાઢવા જરુરી હોય છે પરંતુ તેમને કાઢ્યા પછી સારી પણ રોજગાર માટે ધ્યાન આપવાથી તમારી કંપનીની સારી છાપ પડે છે.
કંપનીની આ એક નૈતિક જવાબદારી છે
આ પ્રક્રિયાની સૌથી સારી બાબત એ છે કે નોકરીમાંથી છુટા કરાયેલા કર્મચારીઓને અથવા જે કંપનીએ કાઢી મુક્યા તે કંપનીને કોઈ નીચી નજરે નથી જોતું, જે તે કર્મચારીએ કંપનીમાં નોકરી કરેલી છે આથી તે ટેલેન્ટેડ કર્મચારી છે તેને વધુ શીખવવાની જરૂર પડતી નથી.
Zomatoના પૂર્વ કર્મચારીઓએ Grofers, Fareportal, Fabhotels, iSON, MedikaBazaar, OpenText, Club Factory, Drip Capital વગેરે જેવી કંપનીઓમાં નોકરી મેળવી લીધી છે. આ મુદ્દે Zomatoના HRના વાઈસ પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે કર્મચારીને ફરીથી નોકરી મળે એ માટે પ્રયત્ન કરવો એ તેમની નૈતિક ફરજ છે.
જાણકારોના મતે જેમ કુદરતની ઇકો સિસ્ટમ પોતે પોતાનું સંતુલન મેળવે છે એ જ રીતે કોર્પોરેટ કંપનીઓ પણ એક બીજાના કર્મચારીઓને નોકરી પર રાખીને પોતાના ઉત્પાદન અથવા સેવાઓના બજારનું બેલેન્સ જાળવી રાખે છે.