કોરોનાના કેસોમાં સતત વધારાથી ચિંતિત થયેલી કેરળ સરકારે રાજ્યમાં 3 દિવસના કડક લોકડાઉનની જાહેરાત કરી દીધી છે.
કેરળમાં કોરોનાના કેસોમાં થઈ રહ્યો છે સતત વધારો
વિજયન સરકારે રાજ્યમાં 3 દિવસના કડક લોકડાઉનની કરી જાહેરાત
રાજ્યમાં 24 અને 25 જુલાઈએ પૂર્ણ લોકડાઉન રહેશે
કેરળની વિજયન સરકારે ઈદના પ્રસંગે 3 દિવસની છૂટ આપી હતી પરંતુ હવે કોરોનાના કેસોમાં અચાનક વધારો થતા કડક લોકડાઉનની જાહેરાત કરી દીધી છે.
24 અને 25 જુલાઈએ પૂર્ણ લોકડાઉન
કેરળ સરકાર દ્વારા એક નિવેદન બહાર પાડીને જણાવાયું કે રાજ્યમાં 24 અને 25 જુલાઈએ પૂર્ણ લોકડાઉન રહેશે. ઈદના પ્રસંગે વિજયન સરકારે 18-19 અને20 જુલાઈએ લોકડાઉનમાં છૂટ આપી હતી.
કેરળ સરકારે આપી ત્રણ દિવસની છૂટછાટ
સુપ્રીમ કોર્ટે કેરળ સરકારન પાસે બકરીઈદ તહેવારને ધ્યાનમાં રાખી કોરોનાના કારણે લાગુ પાડેલ પ્રતિબંધો ત્રણ દિવસ માટે હટાવી લેવાની અરજી માટે જવાબ માંગ્યો છે. બકરી ઈદ પર કેરળમાં પ્રતિબંધમાં છૂટછાટ આપવાના સરકારના નિયમ વિરુદ્ધ એક અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ છૂટછાટ ત્યારે આપવામાં આવી જ્યારે કેરળમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. સાથે જ રાજ્યમાં પોઝિટીવીટી રેટ પણ વધી રહ્યો છે. સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે એટલે કે મંગળવારે આ વિશે સુનાવણી થવાની છે.
સરકાર દ્વારા છૂટછાટ આપવાના આ નિર્ણયને વિપક્ષ અને ઇંડિયન મેડિકલ એસોસિએશન(IMA)એ પણ વિરોધ કર્યો હતો. IMAએ સરકારના આ નિર્ણય વિરુદ્ધ કાયદાકીય આહવાન કરવાની ચેતવણી આપી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અભિષેક સિંઘવીએ ટ્વિટ કર્યું અને લખ્યું કે જો કાંવડ યાત્રા ના થઈ શકે તો પછી બકરીઈદની ઉજવણી કરવી એ પણ ખોટું છે. એ પણ એવા રાજ્યમાં જ્યાં કોરોનાનું સંક્રમણ વધુ ફેલાયું હોય.
તમિલનાડુમાં વધ્યા કેસ
ભારતમાં છેલ્લા એક સપ્તાહથી કુલ કેસના અડધા કેસ માત્ર કેરળ અને મહારાષ્ટ્રમાંથી જ સામે આવી રહ્યા છે. આ બે રાજ્યોમાં જ્યાં કોરોના વાયરસના કારણે સરકાર ટેન્શનમાં હતી ત્યાં હવે તમિલનાડુએ પણ ટેન્શન વધાર્યું છે. કેન્દ્ર સરકારે આપેલ જાણકારી અનુસાર તમિલનાડુના 12 જિલ્લાઓમાં ખતરાની ઘંટી જોવા મળી છે.