દેશમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. કોરોના વાયરસના કારણે દેશમાં સંક્રમિતોની સંખ્યા 27 હજારથી વઘારે થઈ ગઈ છે. ત્યારે કોરોના વાયરસ દેશના સરકારી ઓફિસ સુધી પહોંચી ગયો છે. નવા કેસની વાત કરીએ તો સ્વાસ્થ્ય મંત્રીના OSD કાર્યાલયનો ગાર્ડ કોરોના પોઝિટિવ આવ્યો છે.
દેશમાં કોરોના વાયરસનો કહેર
દેશમાં લગભગ 27 હજારથી વધારે કોરોના દર્દી છે
હર્ષવર્ધનના ઓએસડી કાર્યાલયનો ગાર્ડ કોરોના પોઝિટિવ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનના ઓએસડી કાર્યાલયનો ગાર્ડ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ મામલો સામે આવતા સરકારમાં ભૂકંપ મચી ગયો છે. એ બાદ જોડાયેલા ઓએસડીને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. તેની સાથે સંકળાયેલા કાર્યાલયને બંધ કરી દેવામાં આવ્યા છે.
દેશમાં કુલ કેસની સંખ્યા27,890 એ પહોંચી છે. હાલ સુધીમાં 6,523 લોકો સાજા થયા છે. દેશમાં કુલ મૃત્યુઆંક 881 થયો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ છે. અહીં કુલ 7600ને પાર થઈ ગયો છે. ત્યારે 300થી વધુ લોકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે આજે PM મોદી પણ મન કી બાતમાં દેશવાસીઓનો સહયોગ માંગી કહ્યું છે કે કોરોના સામેની લડાઈ એ યજ્ઞ છે અને તમામ દેશવાસીઓ તેમાં આહુતિ આપી છે. દિલ્હીમાં કેસની સંખ્યા 2000ને પાર છે તો 50થી વધારે લોકો મરી ચુક્યા છે.