કોરોના વાયરસની મહામારી દુનિયાની સાથે-સાથે ભારતમાં પણ ઝડપથી ફેલાઇ રહી છે. સરકારી આંકડાઓમાં અત્યાર સુધીમાં 273 મામલા સામે આવ્યા છે. તેમાંથી 39 વિદેશી કેસ છે. જ્યારે 4 લોકોના કોરોના વાયરસથી મોત થઇ ચૂક્યા છે.
દુનિયાભરમાં ફેલાઇ ચુકી છે કોરોના વાયરસની મહામારી
કોરોના વાયરસનો ભારતમાં ઝડપથી ફેલાવો
ભારત સરકાર તરફથી લોકોને આ મહામારી પ્રત્ચે જાગરુક કરવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે ઘણા પગલા ઉઠાવવામાં આવ્યા છે. વિદેશોમાં ફસાયેલા ભારતીયોને પણ સરકાર પાછી લાવી રહી છે.
સરકારે જારી કર્યા હેલ્પલાઇન નંબર
કોરોના વાયરસને લઇને મેળવવા માટે તથા આપવા માટે હેલ્પ લાઇન નંબર + 91-11-23978046 પર ફોન કરી શકો છો. આ ઉપરાંત દરેક રાજ્યે પોતાનો હેલ્પ લાઇન નંબર જારી કર્યો છે.