દેશમાં કોરોના વાયરસના સંક્રમણ ફેલાઈ રહ્યો છે. તબલીગી જમાતના કેટલાય લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે . ત્યારે દિલ્હી નિઝામુદ્દીન સ્થિત તબલીગી જમાતના મુખ્ય મૌલાના સાદનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સાથે મૌલાના સાદ ક્રાઈમ બ્રાન્ચની સામે હાજર થઈ શકે છે એવી શક્યતા સેવાઈ રહી છે. ત્યારે મૌલાનાનો દાવો છે કે ક્રાઈમ બ્રાન્ચને ખબર છે કે તેઓ ક્યાં છે.
મૌલાના સાદની કોરોના રિપોર્ટ નેગેટિવ
ક્રાઈમ બ્રાંચની સામે હાજર થઈ શકે છે સાદ
મૌલાનાનો દાવો ક્રાઈમ બ્રાંચને ખબર છે તે ક્યાં છે
મૌલાના સાદના વકીલના જણાવ્યાનુંસાર સાદનો કોરોના વાયરસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચના કહેવાથી મૌલાના સાદનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. હવે મૌલાના સાદ કાલે ક્રાઈમ બ્રાન્ચની સામે હાજર થશે.
ક્રાઈમ બ્રાન્ચને ખબર છે મૌલાના સાદ ક્યાં છે
ઉલ્લેખનીય છે કે દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ સતત તબલીગી જમાતના મુખ્ય મૌલાના સાદની તપાસ કરી રહી છે. જો કે ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી નથી. હાલમાં જ એક ચેનલ સાથે વાતચીતમાં મૌલાના સાદે કહ્યુ કે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચને એ ખબર છે કે હું ક્યાં છું. ક્રાઈમ બ્રાન્ચ બે નોટિસ પણ પાઠવી ચુકી છે. જેનો અમે જવાબ પણ આપી ચુક્યા છીએ.’
મૌલાના સાદે કહ્યુ હતું કે...
ચેનલ સાથેની વાતચીતમાં મૌલાના સાદે કહ્યુ હતું કે, ‘દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે મારા દિકરાની હાજરીમાં મારા ઘરની તલાશી પણ લીધી હતી. સાથે મને કોરોનાનો ટેસ્ટ કરાવા પણ કહ્યુ હતું. અમે કોરોનાની તપાસ કરી ચૂક્યા છીએ. ટેસ્ટનો રિપોર્ટ દિલ્હી ક્રાઈમ બ્રાંચને આપવામાં આવશે. પોલીસ જે કહેશે અમે તેનું પાલન કરીશું.
તે ક્વોરેન્ટાઈન હોવાનો દાવો કરી રહ્યો છે
ઉલ્લેખનીય છે કે મૌલાના સાદને લઈને કેટલાય ખુલાસા થવાના બાકી છે. સુરક્ષા એજન્સિઓ તેની શોધમાં છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, ક્રાઈમ બ્રાંચ, દિલ્હી પોલીસ તેની શોધમાં લાગી છે. પરંતુ મૌલાના સાદ સામે નથી આવી રહ્યો. સતત પોતાનો ઓડિયો સંદેશ મોકલી રહ્યો છે. જેમાં તે ક્વોરેન્ટાઈન હોવાનો દાવો કરી રહ્યો છે.