કોરોના વાયરસને લઈને ભારતમાં ઘણી તૈયારીઓ ચાલી રહી છે. સમગ્ર દેશને લોકડાઉન કરવામાં આવ્યું છે. તેમજ છતાં ભારતમાં 733 કોરોના વાયરસના કેસ નોંધાયા છે. 20 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અત્યારે કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા 647 છે. ઉલ્લેખનીય છે કે 66 લોકો સાજા થઈ ગયા છે. ત્યારે ભારતને લઈને દુનિયાની સૌથી મોટી યુનિવર્સિટીએ રિપોર્ટ આપ્યો છે. જેમાં કેવી રીતે ભારતના માથે સંકટ તોળાઈ રહ્યું છે તે દર્શાવવામાં આવ્યું છે. આ વાયરસ આવનારા 4 મહિના સુધી ભારત માટે સમસ્યા બની રહેવાનો છે. રિપોર્ટમાં કોરોના વાયરસને પહોંચી વળવાના રસ્તા દર્શાવવામાં આવ્યા છે.
ભારતના માથે સંકટ તોળાઈ રહ્યું છે
10 લાખ વેન્ટીલેટર્સની જરુર પડી શકે
25 લાખ લોકો આ વાયરસની ઝપેટમાં હશે
આ રિપોર્ટ જોન હોપકિન્સ યૂનિવર્સિટી અને ધ સેન્ટર ફોર ડિજીજ ડાયનેમિક્સ, ઈકોનોમિક્સ એન્ડ પોલિસી(CDDEP) દ્વારા તૈયાર કરવામાં આવી છે. જેમાં ભારતને લઈને અધ્યયન કરવામાં આવ્યું છે. જેમાં તમામ આંકડા ભારતની સત્તાવાર વેબસાઈટ પરથી લેવામાં આવ્યા છે.
જોન હોપકિન્સ યૂનિવર્સિટીએ આ રિપોર્ટમાં જણાવ્યુ છે કે ભારતમાં કોરોના વાયરસની ચિંતાજનક સ્થિતિ જુલાઈના અંત અને ઓગસ્ટના મધ્ય સુધીમાં પતશે. આમાં 5 રાજ્યોના ગ્રાફ પણ દર્શાવવામાં આવ્યા છે.
સમગ્ર દેશના સૌથી વધારે લોકો એપ્રિલના મધ્યથી લઈને મે મધ્ય સુધી કોરોનાથી સંક્રમિત થઈ હોસ્પિટલમાં દાખલ હશે. જુલાઈના મધ્યમાં આ સંખ્યા ઓછી થવા લાગશે. ઓગસ્ટ સુધીમાં આ વાયરસનો ભારતમાં અંત થઈ જશે એવી આશા સેવાઈ રહી છે. ગ્રાફમાં દર્શાવ્યા મુજબ 25 લાખ લોકો આ વાયરસની ઝપેટમાં હશે જે હોસ્પિટલમાં હશે.
સ્ટડીમાં દર્શાવવામાં આવ્યું છે કે એ સમજાઈ નથી રહ્યું કે ભારતમાં કેટલા લોકો સંક્રમિત છે. કેમ કે કેટલાય લોકો એસિમ્ટોમૈટિક એટલે કે અલક્ષણીત છે. એનો મતલબ કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધારે છે. તેઓમાં કોરોનાના લક્ષણો હશે પણ ઓછા સ્તર પર. એટલા માટે આ લક્ષણો વધારે તીવ્ર થશે ત્યારે ખબર પડશે.
જોન હોપકિન્સ યૂનિવર્સિટીના અભ્યાસમાં જણાવવામાં આવ્યુ છે કે વૃદ્ધોએ સોશિયલ ડિસ્ટેંન્સિંગનું વધારે ધ્યાન રાખવું જોઈએ. જેટલા વધારે લોકડાઉનમાં રહેશો તેટલા વધારે બચી શકાશે. સોશિયલ ડિસ્ટન્સિંગ ઉપરાંત હાલ બીજો કોઈ વિકલ્પ નથી.
સૌથી મોટી સમસ્યા એ છે કે ભારતમાં લગભર 10 લાખ વેન્ટીલેટર્સની જરુર પડી શકે છે. પરંતુ ભારતમાં માત્ર 30થી 50 હજાર વેન્ટિલેટર્સ છે. અમેરિકામાં 1.60 લાખ વેન્ટિલેટર છે જોકે તે ઓછા પડી રહ્યા છે. જ્યારે કે તેમની વસ્તી ભારત કરતા ઓછી છે.
સ્ટડીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 3 મહિના ભારતના તમામ હોસ્પિટલોએ સખત મહેનત કરવી પડશે. ભારતને પણ ચીનની જેમ અસ્થાઈ હોસ્પિટલ ઊભા કરવા પડશે. હોસ્પિટલમાં ચેપ ના ફેલાય તેનું પણ ધ્યાન રાખવું પડશે.
ભારતની તપાસ પ્રક્રિયા ઘણી ધીમી છે. જેટલી ઝડપી અને વધારે ટેસ્ટ થશે તેટલું યોગ્ય પરિણામ મળશે. ઘણા લોકોને બચાવી શકાશે. ભારતમાં સ્વાસ્થ્ય કર્મીઓની સુરક્ષા માટે પયાપ્ત માસ્ક, હૈજમટ સૂટ, ફેસ ગિયર વગેરે નથી. જેથી મેડિકલ સ્ટાફને ચેપનો ખતરો વધારે છે.
સ્ટડીમાં એમ પણ દર્શાવવામાં આવી રહ્યું છે કે અત્યારે કેટલાંક રાજ્યોમાં કોરોનાના કેસ ઓછા જોવા મળી રહ્યા છે જોકે લોકડાઉન હટ્યાના 1-2 અઠવાડિયા બાદ કેસ સામે આવશે. ત્યારે સમસ્યા વધી જશે.
કેટલાય રાજ્યોમાં હોસ્પિટલ અને ICUમાં બેડની અછત છે. ઓક્સિજન સિલેન્ડરની અછત થઈ જશે. ઓક્સિજન માસ્ક અને વેન્ટિલેટર્સ પણ ઓછા છે. ભારતમાં આ મોટી સમસ્યા બનશે. સ્ટડીમાં જણાવ્યાનુંસાર 5 વર્ષથી નાના બાળકોને બચાવવા ખૂબ જરુરી છે. બાળકોની તપાસ થવી જોઈએ જેથી દેશમાં વાયરસની બાળકો પર શુ સ્થિતિ છે તે જાણી શકાય.