કોરોનાને લઇ રાહતના સમાચાર છે. હવે ઈકમો સારવારથી કોરોનાના દર્દીઓને બચાવી શકાય છે. સુરતના ડોક્ટરોએ ઇકમો પદ્ધતિ અપનાવી અને યુવા ડોક્ટર વિશાલ સરધારાનો જીવ બચાવ્યો છે.
કોરોનાને લઇ મહત્વના સમાચાર
ઈકમો સારવારથી કોરોનાના દર્દીઓને બચાવી શકાય છે
સુરતના ડોક્ટરોએ અપનાવી ઈકમો પદ્ધતિ
કોરોનાને લઇ રાહતના સમાચાર છે. હવે ઈકમો સારવારથી કોરોનાના દર્દીઓને બચાવી શકાય છે. સુરતના ડોક્ટરોએ ઇકમો પદ્ધતિ અપનાવી અને યુવા ડોક્ટર વિશાલ સરધારાનો જીવ બચાવ્યો છે.
યુવા ડોક્ટર વિશાલ સરધારા કોરોના દર્દીની સારવાર દરમિયાન સંક્રમિત થયા હતા. અને તબિયત વધુ બગડતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યારે સુરતના ડોક્ટરોએ ઇકમો પદ્ધતિથી યુવા ડોક્ટર વિશાવલરધારાનો જીવ બચાવ્યો છે. ઈકમો પદ્ધતિ હૃદય અને ફેફસા કામ કરતા બંધ થઈ જાય ત્યારે અપનાવાય છે.
ત્યારે ડોક્ટર વિશાલ સરધારાના હૃદય અને ફેફસામાં ઇન્ફેકશન વધી જતાં બચવું અશક્ય હતું. પરંતુ ઇકમો પદ્ધતિથી તેમનો જીવ બચાવ્યો છે. ઈકમો પદ્ધતિથી હૃદય, ફેફસા તેમજ કોરોનાના અંદાજે 87 દર્દીઓને બચાવાયા છે.