સુરત અને અમદાવાદમાં એકવાર ફર કોરોના વિસ્ફોટ થયો છે ત્યારે એક બાળકના મોતે સુરતમાં ફફડાટ ફેલાવ્યો છે. આ મામલે સુરતમાં તંત્ર દોડતું થયુ ગયુ છે.
સુરતમાં સ્થિતિ ચિંતાજનક
કોરોનાએ ભરડો લીધો
મનપા હવે જાગ્યુ?
સુરતના અલથાણ વિસ્તારમાં બે દિવસ પહેલા પાલિકાના પ્લાન્ટમાંથી કોરોનાનો કેસ મળી આવ્યો છે. આ પાલ્ન્ટમાં પ્લાન્ટમાં મહિલા કોરોના પોઝિટિવ આવી હતી અને તેના 24 જ કલાકમાં તેનું 6 વર્ષનું બાળક મુત્યુ પામતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયુ છે અને મહિલાના પરિજનોના તાબડતોડ કોવિડ 19ના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે પાલિકામાં એવો ફફડાટ પેસી ગયો છે કે શું અહીં માસમાં સંક્રમણ થયુ છે? અને જો હા તો આ ખરેખર ચિંતા જગાવનારૂ છે.
બાળકાના શંકાસ્પદ મોતને પગલે માતા સહિત સમગ્ર વસતીમાં શોકનો માહોલ
જે માતા કોવિડ પોઝિટિવ છે અને તેના બાળકનું મોત થયુ છે તે પરિવાર મધ્યપ્રદેશથી સુરત મજૂરી કામ કરવા આવ્યો હતો. હજુ તેમને અહીં આવે 2 મહિના જ થયા છે. બાળકેને વારંવાર ઉલટીઓ થઈ અને તેનું મોત થયું બાળકાના શંકાસ્પદ મોતને પગલે માતા સહિત સમગ્ર વસતીમાં શોકનો માહોલ ફેલાઈ ગયો. હતો ત્યારે શું બાળક પણ કોરોના પોઝિટિવ હતું તે અંગે તપાસ આદરવામાં આવી છે.
અઠવા ઝોનના વિવિધ વિસ્તારમાં રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો
કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને સુરતમાં અનેક પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે.. ઉપરાંત અઠવા ઝોનના વિવિધ વિસ્તારમાં રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. સર્વેલન્સની કામગીરી પણ કરવામાં આવી રહી છે. આ મામલે કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે માસ્ક અને રસીકરણ આ બે જ વિકલ્પ આપણી પાસે છે. જેથી કોરોનાથી બચવા માટે જનતાએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.
ફરજિયાત ક્વોરન્ટાઇન થવું પડશે
શહેરમાં કોરોના સંક્રમણ યથાવત છે હાલ નાઈટ કર્ફ્યૂ તો લાગૂ છે સાથે સાથે બાગ બગીચા અને AMTS તેમજ BRTS પણ બંધ કરી દેવામાં આવી છે. વળી મનપા દ્વારા સુરતમાં આવતા લોકો માટે આદેશ કરાયો છે કે, સુરતમાં આવતા લોકોએ ફોર્મ ભરવું પડશે અને લોકોએ પોતાના આરોગ્ય અંગેની માહિતી આપવાની રહેશે. તેઓ પ્રવાસમાં ક્યા ક્યા સ્થળે જશે તેની માહિતી આપવી પડશે. અન્ય રાજ્યમાંથી આવતા લોકોએ ફરજિયાત ક્વોરન્ટાઇન થવું પડશે
મેયરે શહેરીજનોને કોરોનાથી સાવચેત રહેવા માટે પણ અપીલ કરી
સુરતમાં કોરોના ફરી એકવાર વકર્યો છે.. ત્યારે સુરતમાં ખુદ મેયર હેમાલી બોઘાવાલા રોડ પર ઉતરી ગયા છે.. મેયરે પોતે જ વાહનચાલકોને કોરોના મુદ્દે ચેતવ્યા.. કારમાં મર્યાદાથી વધુ મુસાફરી કરી રહેલા લોકોને ચેતવણી આપી. સાથે જ સામાજિક અંતર અને માસ્કના નિયમો અંગે સૂચના આપી. મેયરે શહેરીજનોને કોરોનાથી સાવચેત રહેવા માટે પણ અપીલ કરી.
4 મહાનગર માટે સરકારે 5 અધિકારીઓની પસંદગી
રાજ્યમાં કોરોના ફરી એકવાર બેકાબૂ થયો છે. ગુજરાતમાં એક જ દિવસમાં 1122 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ દર્દીની સંખ્યા પણ 5 હજારને પાર પહોંચી ગઈ છે. જેના કારણે સરકાર પણ ચિંતામાં મુકાઈ છે. કોરોનાના નિયમની કડક અમલવારી થાય તે માટે સરકારે આદેશ આપ્યા છે. અને તેની અમલવારી માટે ઉચ્ચ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. 4 મહાનગર માટે સરકારે 5 અધિકારીઓની પસંદગી કરી છે. જેમાં અમદાવાદની જવાબદારી ડૉ. રાજીવ ગુપ્તાને સોંપવામાં આવી છે. ઉપરાંત વડોદરાની જવાબદારી મિલિંદ તોરવણે, વિનોદ રાવને સોંપાઈ છે. જ્યારે રાહુલ ગુપ્તાને રાજકોટની જવાબદારી સોંપવામાં આવી છે. અને સુરતની જવાબદારી એન. થેન્નારસનને સોંપવામાં આવી છે.
રાજ્યમાં ફરી કોરોના સંક્રમણ વધ્યુ
છેલ્લા 24 કલાકમાં 1122 કોરોના કેસ નોંધાયા
છેલ્લા 24 કલાકમાં 775 દર્દીઓ સાજા થયા
રાજ્યમાં કુલ 61 દર્દીઓ વેન્ટિલેટર પર
રાજ્યમા કોરોનાના 5310 એક્ટીવ કેસ
છેલ્લા 24 કલાકમાં કોરોનાથી રાજ્યમાં 3 દર્દીના મૃત્યુ
કોરોનાથી કુલ 4430 દર્દીઓના મૃત્યુ થયા
રાજ્યમાં કુલ 271433 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 271 કેસ નોંધાયા
સુરત શહેરમાં 315, સુરત ગ્રામ્યમાં વધુ 38 કેસ
વડોદરા શહેરમાં 97, ગ્રામ્યમાં વધુ 17 કેસ નોંધાયા
રાજકોટ શહેરમાં 88 કેસ, રાજકોટ ગ્રામ્યમાં વધુ 24 કેસ
ભાવનગરમાં 20, ગાંધીનગરમાં વધુ 24 કેસ નોંધાયા
જામનગરમાં 19, જૂનાગઢમાં વધુ 12 કેસ નોંધાયા
કચ્છમાં 14, મહેસાણામાં વધુ 19 કેસ નોંધાયા
ગીર સોમનાથમાં 4, દાહોદમાં વધુ 12 કેસ નોંધાયો
ભરૂચમાં 21, નર્મદામાં 12, ખેડામાં વધુ 18 કેસ નોંધાયા