દુનિયામાં કોરોના મહામારીનો કહેર સતત ફેલાઈ રહ્યો છે ત્યારે દેશમાં પણ કોરોનાનું સંક્રમણ વધવાથી અનેક લોકો ઝપેટમાં આવી ચૂક્યા છે. કોરોના મહામારીની ચપેટમાં આવનારા દર્દીઓની સામે અનેક નવી મુસીબતો સામે આવી છે. કોરોના વાયરસના કેન્દ્ર રહેલા ઈટાલીમાં અત્યાર સુધી સાજા થયેલા દર્દીઓને એક વાર ફરી મેડિકલ તપાસ માટે બોલાવવામાં આવ્યા છે. અહીં જાણવા મળ્યું છે કે તેઓ સ્વસ્થ અનુભવી રહ્યા નથી.
દેશ અને દુનિયામાં વધ્યું કોરોના સંક્રમણ
ફરી મેડિકલ તપાસ માટે બોલાવાયા સંક્રમિત વ્યક્તિઓને
મેડિકલ તપાસમાં અસ્વસ્થ લાગી રહ્યા છે દર્દીઓ
કોરોના મહામારીથી અનેક મહિના પહેલા સાજા થયેલા લોકોને ફરી એકવાર હોસ્પિટલમાં તપાસ માટે બોલાવવામાં આવ્યા છે. આ તપાસમાં જે વાત સામે આવી છે તે ચિંતા જન્માવનારી છે. તપાસમાં દર્દીઓએ કહ્યું કે કોરોનાથી સાજા થયા બાદ પણ મહિનાઓ બાદ તેઓ પોતાના સ્વાસ્થ્યમાં રાહત અનુભવી રહ્યા નથી.
વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ અનુસાર ઈટાલીમાં જે લોકોને કોરોના થઈ ચૂક્યો છે અને તે અનેક મહિના પહેલાંથી સાજા થઈને ઘરે જઈ ચૂક્યા છે. તેમનું એક વાર બ્લડ સેમ્પલ લેવાઈ ચૂક્યું છે. તેની સાથે તેમના હાર્ટ અને ફેફસાની તપાસ કરવામાં આવી રહી છે. દર્દીઓને આ વિષે સવાલ કરવામાં આવી રહ્યો છે કે સારવારના આટલા દિવસ બાદ તેઓ કેવું અનુભવે છે, શું તેમના શરીરમાં કોઈ ફેરફાર આવ્યો છે.
તપાસમાં સામે આવ્યું આ પરિણામ
તેની તપાસની મદદથી કોરોનાને રોકવામાં રહેલા ડોક્ટર અને વૈજ્ઞાનિક એ જાણવાની કોશિશ કરી રહ્યા છે કે કોરોના નેગેટિવ આવ્યા બાદ પણ વાયરસ શરીર પર શું અસર કરે છે. આ તપાસમાં એક 54 વર્ષની મહિલાને પૂછાયું કે તે કેવું અનુભવી રહી છે તો તેઓએ કહ્યું કે તેમને લાગે છે કે તે પોતાની ઉંમરથી 30 વર્ષ વધારે આગળ નીકળી છે. તે પોતાને 80 વર્ષની યુવતી અનુભવે છે. ઈટાલીના સ્વાસ્થ્ય વિશેષજ્ઞોએ કહ્યું છે કે કોરોનાથી બીમાર થઈ રહેલા લોકોની રિકવરી અધૂરી હોઈ શકે છે. અનેક વાર તેમને વધારે સમય પણ લાગે છે. ઉલ્લેખનીય છે કે લગભગ 750 દર્દીમાંથી 30 ટકા દર્દીઓના ફેફસામાં નિશાન પડ્યા છે અને તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે.
દુનિયામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. અત્યારસુધીમાં લગભગ 2 કરોડ 83 લાખ 15 હજાર 289 લોકો કોરોના સંક્રમિત થયા છે. તેમાંથી 9 લાખ 13 હજાર 227 લોકોએ જીવ ગુમાવ્યો છે. રાહતની વાત એ છે કે તેમાંથી લગભગ 2 કરોડ 32 લાખથી વધારે લોકો સાજા થયા છે.