ભારતમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ભારતમાં જે રીતે કોરોનાની કાતિલ ઝડપ વધી રહી છે તે ગંભીરપણે ચિંતાજનક છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા પ૦ લાખને પાર થઇ ગઇ છે અને હવે રોજના એક લાખ કરતાં વધુ કેસ સામે આવી રહ્યા છે.
ભારતમાં કોરોના હાહાકાર મચાવ્યો હાહાકાર
કોરોનાની કાતિલ ઝડપ ચિંતાજનક
વિશ્વ આરોગ્ય સંઘનું પણ કહેવું છે કે દિક્ષણ-પૂર્વ એશિયા ક્ષેત્રમાં ભારત-ઇન્ડોનેશિયા અને બાંગ્લાદેશમાં સંક્રમણના સર્વાધિક કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા સાત દિવસમાં આ વાઇરસે જેટલા લોકોના જીવ લીધા છે તેમાં રર ટકા આ ક્ષેત્રના છે, જોકે ગીચ વસ્તીની દૃષ્ટિએ મૃત્યુઆંક (પ્રતિ ૧૦ લાખની વસ્તીએ ૪૬) ઓછો છે.
આરટીપીસીઆર પરીક્ષણને જ વિશ્વાસપાત્ર માનવામાં આવે
ઇન્ડોનેશિયા અને બાંગ્લાદેશ જેવા દેશોએ તો કોમ્યુનિટી ટ્રાન્સમિશન હોવાની કબૂલાત પણ કરી લીધી છે. ભારતમાં આરોગ્યતંત્ર કોરોના સામે દિશાવિહીન દશામાં હોય તેવું સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે. કોરોના સામે કામ લેવાની વાત તો એક બાજુએ રહી, તેની સામે બચાવને લઇ પણ આપણી પાસે કોઇ ફુલપ્રૂફ પ્રક્રિયા કે ઉપાય નથી. માત્ર રેિપડ એન્ટીજન અને આરટીપીસીઆર પરીક્ષણને જ વિશ્વાસપાત્ર માનવામાં આવે છે.
કોરોના મહામારી કાબૂમાં આવતી નથી
છ કરોડ ટેસ્ટ થવા છતાં કોરોના મહામારી કાબૂમાં આવતી નથી તે વાત આશ્ચર્યજનક અને આઘાતજનક છે. આપણે બ્રાિઝલને પણ પાછું રાખી દીધું છે. લોકડાઉનની જ્યારે જાહેરાત કરી ત્યારે વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે કોરોના વાઇરસ વિરુદ્ધ લડત માત્ર ર૧ દિવસ ચાલશે. તેમણે કોરોના વાઇરસ સામેની લડતની મહાભારતના યુદ્ધ સાથે તુલના કરી હતી. આપણે આ યુદ્ધમાં કેટલા સફળ રહ્યા છે તે વાત જગજાહેર થઇ ગઇ છે.
સખત લોકડાઉન છતાં કોરોના પર ન આવ્યો કાબૂ
આથી વેધક સવાલ એ છે કે દુનિયામાં સૌથી સખતમાં સખત લોકડાઉન લાગુ કરવા છતાં આપણે કોરોના સંક્રમણને અટકાવવામાં કેમ સિરયામ નિષ્ફળ ગયા છીએ? વાસ્તવમાં લોકડાઉનનો હેતુ મહામારીના પ્રારંભિક તબક્કામાં કોરોના સંક્રમણ અને મૃત્યુને રોકવાનો અને આરોગ્ય માળખાને તૈયાર કરવાનો હતો. લોકડાઉન ત્યારે લાગુ કરવામાં આવ્યું હતું જ્યારે સંક્રમિતોની સંખ્યા ઘણી ઓછી હતી અને મૃત્યુ નહિવત્ હતાં. એ વખતે દેશમાં કોરોનાના માત્ર ૬૦૬ કેસ સામે આવ્યા હતા, જેમાંથી પ૩૩ એક્ટિવ કેસ હતા અને મૃતકની સંખ્યા માત્ર ૧૦ હતી.
કોઇ દવા કે વેક્સિન તૈયાર થઇ નથી
હકીકતમાં બન્યું એવું કે લોકડાઉન દરમિયાન આપણી સરકાર અને આરોગ્યતંત્રએ કાયદો અને વ્યવસ્થા પર વધુ ધ્યાન કેિન્દ્રત કર્યું, પરંતુ લોકડાઉન દરમિયાન જે ફુલપ્રૂફ આરોગ્ય માળખું ઊભું કરવાનું હતું અને કોરોનાનું જોખમ ઓછું કરવા માટેની જે તૈયારીઓ કરવાની જરૂર હતી તેના પર બિલકુલ ધ્યાન જ આપવામાં આવ્યું નહીં. અત્યારે હાલત એવી છે કે કોવિડ-૧૯થી બચવા માટેના ઉપાય શોધવા આજે પણ આપણે ફાંફાં મારી રહ્યા છીએ. હજુ સુધી કોઇ દવા કે વેક્સિન તૈયાર થઇ નથી.
બીજી બાજુ હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) પણ ચિંતામાં મુકાયું છે. તેની સાથે જોડાયેલા અને દુનિયાના પ્રખ્યાત સ્વાસ્થ્ય વૈજ્ઞાનિક ડેવિડ નાબ્રરોએ ગંભીર ચેતવણી આપતાં કહ્યું છે કે કોરોના મહામારી હજુ માત્ર શરૂઆતના તબક્કામાં જ છે. કોરોનાની બીજી લહેર આવવાની આશંકા ટળી નથી અને તે વધારે ખતરનાક સ્થિતિ ઉત્પન્ન કરી શકે છે. ડેવિડ નાબ્રરોએ બ્રિટનના સંસદની હાઉસ ઓફ કોમન્સ ફોરેન અફેર્સ કમિટીને જણાવ્યું હતું કે હાલમાં કોરોના વાઈરસને લઈ ચિંતા મુક્ત થઈ જવાથી મોટું નુકસાન થઈ શકે છે. આ સમય રાહતનો શ્વાસ લેવાનો નથી, પરંતુ ભવિષ્યમાં આવનારી મોટી તબાહી માટે તૈયાર રહેવાનો છે.
વાઈરસના કારણે અર્થવ્યવસ્થાને એટલું બધું નુકસાન
ડેવિડ નાબ્રરોએ અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોના એ દાવાને પણ ફગાવી દીધો હતો કે ચીન તરફથી ડબ્લ્યુએચઓ પ્રમુખને ખરીદી લેવામાં આવ્યા હતા અને આ કારણથી સંગઠન કોરોના મહામારી પર ઉચિત પગલાં ન ભરી શક્યું. વાઈરસના કારણે અર્થવ્યવસ્થાને એટલું બધું નુકસાન થયું છે કે ગરીબોની સંખ્યા ડબલ થઈ શકે છે. તેમણે કહ્યું કે આપણે હજુ મહામારીની મધ્યમાં પણ નથી પહોંચ્યા. આ તો માત્ર શરૂઆત જ છે. વિશ્વ આરોગ્ય સંઘ આવી ચેતવણી આપીને માત્ર લોકોને ડરાવવાનું જ કામ કરે છે, પરંતુ કોરોના સામે કોઇ અસરકારક કે નક્કર કાર્યવાહી કરતું નથી. જ્યારે ભારત સરકારને તો માત્ર તમામ પ્રવૃત્તિ અનલોક કરવામાં જ રસ છે.