શિયાળો હોય કે ઉનાળો કોરોના વાયરસ ક્યારેય ખતમ થશે નહીં. શોધકર્તાઓએ કહ્યું કે આપણે વાયરસ સાથે જીવવાની આદત પાડી લેવી જોઈએ.
ક્યારેય ખતમ નહીં થાય કોરોના વાયરસ
સ્ટડીમાં સામે આવ્યું ચોંકાવાનારું પરિણામ
વાયરસ સાથે જીવવાની આદત કેળવી લેવી જોઇએ
કોરોનાના કહેરથી ભારતમાં હાહાકાર મચ્યો છે અને સાથે લોકો કોરોનાના અટકવાની રાહ જોઈ રહ્યા છે ત્યારે હાલમાં એક સ્ટડી આવ્યો છે જેમાં લોકોના હોંશ ઉડી શકે છે. શોધકર્તાનું કહેવું છે કે આપણે કોરોના સાથે જીવવાની આદત પાડી લેવી જોઈએ. તે ક્યારેય ખતમ થશે નહીં. એટલે કે તે કાયમ જીવિત રહેશે. તેનો પ્રકોપ લાંબા સમય સુધી રહેશે.
શું કહે છે મેડિકલ સાયન્સ
મેડિકલ સાયન્સનું માનવું છે કે કોઈ પણ વાયરસનું અસ્તિત્વ ખતમ થતું નથી. રિસર્ચમાં કહેવાયું છે કે કોરોના વાયરસ વર્ષમાં અનેક વાર ચરમ પર રહેશે. આ સાથે મોટી સંખ્યામાં લોકોના મોત થશે. ભારતમાં હાલમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને ત્રીજી લહેરની સંભાવના પણ રાખવામાં આવી રહી છે.
રિપોર્ટ જનરલ સાઈન્ટિફિકમાં છપાયો
જર્મનીના હેડલબર્ગ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ગ્લોબલ હેલ્થ અને ચાઈનીઝ એકેડમી ઓફ મેડિકલ સાયન્સે કોરોના વાયરસને જીવન ભર સાથે રહેવાનો દાવો કર્યો છે. તેના રિપોર્ટને જનરલ સાઈન્ટિફિકમાં છાપવામાં આવ્યો છે જેમાં વાયરસના પ્રચંડ રૂપમાં જીવિત રહેવા સિવાય કોરોનાને લઈને અન્ય વાતો પણ કહેવાઈ છે.
કયા વિસ્તારોમાં વધારે કહેર મચાવશે કોરોના
રિપોર્ટમાં કહેવાયું છે કે વિશ્વના ઉત્તરી અને દક્ષિણ દેશમાં કોરોનાનો કહેર વધારે રહેશે. સાથે તેમાં કહેવાયું છે કે શિયાળો હોય કે ઉનાળો કોરોનાની અસર ઘટશે કે વધશે નહીં. શોધકર્તાઓએ 117 દેશના આંકડાને આધાકે રિપોર્ટ તૈયાર કર્યો છે. તેમનું માનવું છે કે કોરોનાથી બચાવ જ માત્ર ઉપાય છે. વેક્સીનેશન બાદ પણ કોરોનાથી બચવા માટે નિયમોનું પાલન જરૂરી રહેશે.