ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક હેલ્થ હૈદરાબાદના ડિરેક્ટર પ્રો.જીવી એસ.મૂર્તિએ જણાવ્યું કે ફ્લુની જેમ કોરોના પેઢીઓ સુધી અહીં રહેશે.
દેશમાં કરોનાની ઝડપ ઘટી પરંતુ પરિસ્થિતિ હજુ સુધરી નથી
હૈદરાબાદના આઈઆઈપીએચ ડિરેક્ટરનો દાવો કોરોના કદી પણ નહીં જાય
ફ્લુની જેમ પેઢીઓ સુધી રહેશે કોરોના
નવેમ્બરમાં કોરોનાની ત્રીજી લહેર આવશે
ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક હેલ્થ હૈદરાબાદના ડિરેક્ટર પ્રો.જીવી એસ.મૂર્તિએ કોરોના અંગે એક મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે નવેમ્બર સુધી કોરોનાની ત્રીજી લહેર આવી જશે.
પ્રોફેસર મૂર્તિએ જણાવ્યું કે જુદાજુદા રાજ્યોમાંથી ઉપલબ્ધ આંકડા પરથી જાણવા મળે છે કે જુનના અંત સુધી દક્ષિણ અને પશ્ચિમ ભારતાં કોરોનાના કેસોમાં ઘટાડો આવી શકે છે. તો ઉત્તર અને પૂર્વી ભારતમાં જુલાઈના મધ્ય સુધી કોરોનાના કેસોમાં ઘટાડો આવી શકે છે.
સભાઓને કારણે કોરોના ફેલાયો
જી.વી.એસ.મૂર્તિએ જણાવ્યું કે મહામારી દરમિયાન રાજકીય,સામાજિક અને ધાર્મિક સબાઓને કારણે કોરોના વધારે પ્રમાણમાં ફેલાયો. તેમણે કહ્યું કે કોરોના તો અહીં ઘણા લાંબા સમય સુધી રહેવાનો છે. જ્યારે પણ કોઈ સંક્રમણ સમૂદાયની સામે આવે છે ત્યારે તે ધીરે ધીરે ફેલાય છે અને પછી સ્થાનિક સ્તરે સંક્રમણ વધી જાય છે. ફ્લુ આપણી સાથે પેઢીઓથી છે અને કોરોનાનું પણ આવું જ બનવાનું છે.
એન્ટીબોડી 3 થી 6 મહિના સુધી જ રહે છે
તેમણે કહ્યું કે જ્યારે પણ લોકો મોટી સંખ્યામાં ભેગા થશે ત્યારે મહામારી વધારે ફેલાશે. આપણને ખબર છે કે કોરોના સંક્રમણ બાદ રોગ પ્રતિકાર શક્તિ ફક્ત 3 થી 6 મહિનાના સમયગાળા સુધી રહે છે જે પછી તે વ્યક્તિનને ફરી વાર કોરોના થયાની સંભાવના રહેતી હોય છે. આપણે જોયું કે કેટલાક નેતાઓ અને મુખ્યમંત્રી બીજી વાર સંક્રમિત થઈ રહ્યાં છે. તેથી કોઈનામાં પણ કાયમી ઈમ્યુનિટી નથી. તેમણે જણાવ્યું કે કોરોનાની આગામી લહેર આવતા પાંચથી છ મહિનાનો સમય લાગશે.ત્યાં સુધીમાં રોગ પ્રતિકાર શક્તિ ખતમ થઈ જશે.
2022 માં મોટી સંખ્યામાં પ્રતિબંધની જરુર
પ્રોફેસરે કહ્યું કે જો આપણે જોખમ ઓછું કરવા માંગતા હોઈએ તો ફેબ્રુઆરી 2022 સુધી મોટી સંખ્યામાં લોકોના ભેગા થવા પર પ્રતિબંધો ચાલુ રાખવા પડશે. સ્કૂલ અને ઓફિસો તથા કોલેજો પૂરતી સાવધાની રાખવાની ખોલી શકાય છે.