વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ ફરી એકવાર કોરોના સંક્રમણને લઈને ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે શિયાળામાં ફરીથી એકવાર યૂરોપ સહિત દુનિયાભરમાં કોરોનાનું સંક્રમણ વધી શકે છે. આ સમયે હોસ્પિટલોમાં એડમિટ થનારા દર્દીઓની સંખ્યા વધવાની સાથે સાથે મૃત્યુદરમાં પણ વધારો થશે. યૂરોપમાં WHOના રીજનલ ડાયરેક્ટરે હેનરી ક્લગે કહ્યું કે શિયાળામાં યુવાઓ વૃદ્ધોની વધારે નજીક રહે છે આ કારણે સંક્રમણ વધી શકે છે.
WHOની કોરોનાને લઈને ચેતવણી
શિયાળામાં વધી શકે છે કોરોના સંક્રમણ
યુવાઓ વૃદ્ધોની નજીક રહેવાથી સંક્રમણ સાથે મૃત્યુદર પણ વધશે
હેનરી ક્લગે કહ્યું છે કે આવનારા મહિનામાં 3 મુખ્ય કારણો પર ફોકસ કરાશે. તેમાં શાળાઓ ફરીથી ખોલાશે, શરદી, ઉધરસની સિઝનમાં વૃદ્ધોના મોત વધશે. આ કારણોથી સંક્રમણ ઘાતક બની શકે છે. તેમનું કહેવું છે કે દુનિયાના દેશોએ તેની તૈયારી અત્યારથી કરી લેવી જોઈએ. અમેરિકામાં શાળાઓ ખોલવાને લઈને સંક્રમણ ફેલાવવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અહીં મિસિસીપીની શાળામાં 4000 બાળકો અને 600 ટીચરોને ક્વૉરન્ટાઈન કરાયા છે.
If we open economies, we need to open schools🖍️📚📝 @WHO_Europe and 🇮🇹@robersperanza co-chairing virtual meeting with all 53 Member States on 31 August to develop a framework for safe schools in #COVID times while protecting communities. Watch this space: https://t.co/jiY56BjpMI
WHOએ કહ્યું છે કે તેઓએ એક કમિટી બનાવી છે જે હેલ્થ ઈમરજન્સીની જાહેરાત કરવાના નિયમ બદલશે. કોરોના મહામારી બાદ WHO પર દુનિયાને મોડી જાણકારી આપવાનો આરોપ છે. WHOએ 30 જાન્યુઆરીના રોજ કોરોનાના કારણે હેલ્થ ઈમરજન્સીની જાહેરાત કરી હતી. તેનો દાવો છે કે આ સમયે ચીનમાં ફક્ત 100 કેસ હતા. જ્યારે WHOએ પોતાના નિયમોની સમીક્ષા કરવા એક કમિટિ બનાવી હતી. તેનાથી ખ્યાલ આવ્યો કે નિયમોમાં કોઈ ફેરફાર કરવો કે નહીં.
મિસ્રમાં ખૂલી મસ્જિદો તો સાઉથ કોરિયામાં ડોક્ટર્સની રજા થઈ કેન્સલ
દક્ષિણ કોરિયામાં કોરોના વધવાના કારણે અહીના ડોક્ટર્સને તાત્કાલિક રીતે ફરજ પર હાજર થવા કહેવાયું છે. આમ છતાં ડોક્ટર્સ 3 દિવસની હડતાલ પર કાયમ છે. સરકાર સ્થિતિ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરી રહી છે. તો મિસ્રમાં લોકડાઉન બાદ પહેલી વાર શુક્રવારે મસ્જિદ ખોલવામાં આવી હતી. અહીં મોટી સંખ્યામાં લોકોએ નમાજ અદા કરી હતી. આ સમયે સોશ્યલ ડિસ્ટન્સિંગના પાલન સાથે માસ્કનો પણ ઉપયોગ કરાયો હતો.