કોરોનાની મહામારીના કારણે દેશભરમાં હવે મૃત્યુઆંક વધી રહ્યો છે. ત્યારે WHOના રિપોર્ટમાં સામે આવ્યું છે કે, હૃદય રોગ અને ડાયાબિટીસથી પીડાતા લોકોને કોરોના વધુ અસર કરે છે. કોરોનામાં મૃત્યુ પામનારા લોકોમાં હૃદયરોગ અને ડાયાબિટીસના દર્દીઓ વધુ છે.
WHOના રિપોર્ટ ચોંકાવનારો ખુલાસો
મૃત્યુ પામનારા લોકોમાં હૃદયરોગ અને ડાયાબિટીસના દર્દીઓ વધુ
4 લાખથી વધુના મૃત્યુનો સર્વે કરાયો
સર્વે પ્રમાણે આ બે રોગથી પીડિત દર્દીઓના મૃત્યુની સંભાવના 12 ટકા વધારે છે. WHOના રિપોર્ટમાં આ માહિતી બહાર આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતુ કે હૃદય રોગની અને ડાયાબિટીસીની બીમારી ધરાવનાર વ્યક્તિના મૃત્યુ વધારે થાય છે.
4 લાખથી વધુના મૃત્યુનો સર્વે કરાયો
82 લાખ લોકો વધારે લોકોને પોતાના સંક્રમણમાં લેનાર અને 4 લાખથી વધુના મૃત્યુનો સર્વે કરાયો હતો અને તપાસ કર્યા બાદ સામે આવ્યુ કે હૃદય રોગ અને ડાયાબિટીસના દર્દીને મૃત્યુનું જોખમ વધારે છે.
19 ટકા લોકો હૃદય અને ડાયાબિટીસના દર્દીઓ હતા
અમેરિકાની એજન્સી સેંટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શનએ WHOને દર્દીઓનું લીસ્ટ સોંપી છે. રિપોર્ટમાં અમેરિકામાં 22 જાન્યુઆરીથી 30 મે સુધી 13 લાખ કોરોના સંક્રમિતો સામે આવ્યા હતા. જેમાંથી 1 લાખ કરતા વધારે મૃતકો પર સર્વે કર્યો હતો. જેમાંથી 19 ટકા લોકો હૃદય અને ડાયાબિટીસના દર્દીઓ હતા.