કોરોના વાયરસના ઝડપથી વધતા કેસની વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે કોરોનાને ફેલાતા રોકવા માટે ભારતે પોતાની આક્રમક કામગીરી ચાલુ રાખવી જોઈએ. ભારતમાં કોરોના વાયરસના 499 કેસ સામે આવ્યા છે અને તેને ફેલાતો રોકવા માટે 548 જિલ્લા લોકડાઉન કરવામાં આવ્યા છે.
પુરી દુનિયામાં સીઝફાયર થાય- UN
ઈટલીમાં કોરોનાથી 6, 077 લોકોના મૌત
ભારતમાં કોરોના અત્યાર સુધીમાં 499 કેસ નોંધાયા છે
સાર્વજનિક સ્વાસ્થ્ય સ્તર પર પોતાની આક્રમક કામગીરી ચાલુ રાખે
કોરોનાને ફેલાતો રોકવા માટે ભારત તરફથી લેવામાં આવેલા પગલા પર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશ (WHO)ના વહિવટી ડાયરેક્ટર માઈકલ જે રેયાને કહ્યું કે ભારત ચીન જેવો વધારે વસ્તી ધરાવતો દેશ છે અને વધારે વસ્તી ધરાવતા દેશમાં જે કંઈ પણ પગલા ભરાય તેના પર કોરોના વાયરસનુ ભવિષ્ય નક્કી હોય છે. તેમણે આગળ જણાવ્યું હતું કે એ બહું મહત્વનું છે કે ભારત સાર્વજનિક સ્વાસ્થ્ય સ્તર પર પોતાની આક્રમક કામગીરી ચાલુ રાખે.
ભારતમાં જબરજસ્ત ક્ષમતા છે
માઈકલ જે રેયાને કહ્યું કે ભારતમાં સાઈલન્ટ કિલર કહેવામાં આવતી 2 ગંભીર બિમારી (સ્મોલ પોક્સ અને પોલિયો) પર કંટ્રોલ કરવામાં દુનિયાની આગેવાની કરી છે. ભારતમાં જબરજસ્ત ક્ષમતા છે. અત્યારે દેશોમાં જબરજસ્ત ક્ષમચા છે કે તે પોતાના સમુદાય અને નાગરિક સમાજને એકત્ર કરે.
પુરી દુનિયામાં સીઝફાયર થાય- UN
બીજી તરફ સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરે કોરોનાની મારામારીને જોતા સમગ્ર વિશ્વને વૈશ્વિક શાંતિ માટે આહ્વાન કર્યુ છે. તેમણે કહ્યું કે હું દુનિયાના તમામ ખૂણામાં ચાલી રહેવા વૈશ્વિક યુદ્ધના વિરામ માટે આહ્વાન કરુ છું. આ લોકડાઉન પર સશસ્ત્ર સંઘર્ષ, આપણા જીવનની સાચી લડાઈ પર એક સાથે ધ્યાન કેન્દ્રિત કરી, દુશ્મનાવટને પાછળ મુકી અને અવિશ્વાસ તથા દુશ્મનીને દુર કરવાનો સમય છે.
દુનિયાભરમાં 16 હજારથી વધારે જીવ ગયા છે
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો હાહાકાર મચી ગયો છે. સમગ્ર વિશ્વમાં 16 હજાર લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 3. 6 લાખ જેટલા લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ફક્ત ઈટલીમાં 6,077 લોકોના મોત નિપજ્યા છે. અમેરિકામાં 400થી વધારે લોકોના મોત નિપજ્યા છે. આ મોતનો આંકડો સતત વધી રહ્યો છે.