કોરોના વાયરસને લઈને WHOએ ભારતના વખાણ કર્યા છે. WHOએ ભારતની ડિજિટલ ટેક્નોલોજીના વખાણ કર્યા છે. જેમાં ખાસ કરીને ભારતની આરોગ્યસેતુ એપના WHOએ વખાણ કર્યા છે.
ભારતની આરોગ્યસેતુ એપના WHOએ કર્યા વખાણ
ભારતમાં લાખો લોકો ઉપયોગ કરી રહ્યા છે આરોગ્યસેતુ એપ
ભારતમાં લાખો લોકો આરોગ્યસેતુ એપનો ઉપયોગ કરી રહ્યા છે. આરોગ્યસેતુ એપથી કોરોનાના કલ્સ્ટર વિસ્તારની ઓળખ સરળતાથી થઈ શકે છે. આરોગ્ય સેતુ એપની મદદથી જે તે વિસ્તારમાં કોરોના ટેસ્ટ પણ વધારાયા છે.
WHOના ચીફ ટ્રેડોસ અધોનોમ ગેબ્રિયેસસે કહ્યું કે ભારતમાં આરોગ્ય સેતુ એપને 1 કરોડ 50 લાખ લોકો દ્વારા ડાઉનલોડ કરવામાં આવી છે. આનાથી સાર્વજનિક સ્વાસ્થ્ય વિભાગોને એ વિસ્તારોની ઓળખ કરવામા મદદ મળી છે જ્યાં સમૂહોને ધ્યાનમાં રાખીને ટેસ્ટિંગની મર્યાદા વધારી શકાય છે. સાથે કોરોના ક્લસ્ટર વિસ્તારોની ઓળખ શક્ય બને છે.
ઉલ્લેખનીય છે કે સતત 10માં દિવસે મૃત્યુઆંક 1 હજારથી ઓછો નોંધાયો છે. ભારતમાં એક દિવસમાં નોંધાતા કોરોનાના કેસમાં થયો ઘટાડો. એક દિવસમાં ભારતમાં કોરોનાના 54 હજાર 265 કેસ નોંધાયા છે. જ્યારે એક દિવસમાં 78 હજાર 365 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. તેમજ એક દિવસમાં 710 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. ભારતમાં કોરોનાના એક્ટીવ કેસની સંખ્યા હાલ 8 લાખ 37 હજાર 784 છે. જ્યારે કોરોનાના કુલ કેસ 71 લાખ 73 હજાર 565 છે. ત્યારે 12 ઓક્ટોબર સુધીમાં કુલ 8,89,45,107 સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યા છે.