રિસર્ચમાં જાણવા મળ્યું છે કે 65 વર્ષથી ઓછી ઉંમરના લોકોને વાયરસના હુમલાથી 80 ટકા સુરક્ષા મળે છે. પણ 65 વર્ષ બાદ સુરક્ષા ઘટીને 47 ટકા થાય છે.
કોરોનાની બીજી લહેર બનશે ખતરનાક
65 વર્ષથી ઓછી ઉંમરના લોકોને વાયરસના હુમલાથી 80 ટકા સુરક્ષા
65 વર્ષ બાદ સુરક્ષા ઘટીને 47 ટકા થાય છે
શું કોરોના વાયરસને માત આપનારા લોકો કોરોનાની બીમારીથી ફરીથી બીમાર થઈ શકે છે, જો આવું છે તો આ ખતરો કોને વધારે રહે છે. આ સવાલના જવાબમાં રિસર્ચમાં જાણવા મળ્યું છે કે કોરોનાને માત આપી ચૂકેલા લોકોને કોરોનાનો ખતરો સૌથી વધારે રહે છે.
કોને રહે છે કોરોનાનો ખતરો સૌથી વધારે
કોરોના વાયરસને માત આપી ચૂકેલા વૃદ્ધ લોકો માની શકતા નથી તે તેને અન્ય હુમલાથી સુરક્ષા મળી ચૂકી છે. ડેનમાર્કમાં કરાયેલા સંશોધનમાં રિસર્ચથી જાણવા મળ્યું છે કે 65 વર્ષની ઉમરમાં કોરોનાથી સાજા થયેલા લોકોએ ઓછામાં ઓછા 6 મહિના સુધી ફરીથી સંક્રમણથી 80 ટકા સુરક્ષા મેળવી છે. જ્યારે 65 વર્ષથી વધારે ઉંમરના લોકોમાં આ સુરક્ષાનું પ્રમાણ 47 ટકા હોય છે.
કોને રહે છે મોતનો વધારે ખતરો
લાંસેટમાં પ્રકાશિત શોધમાં કહેવાયું છે કે વૃદ્ધોની સુરક્ષા માટે ઉપાય કરવા જરૂરી છે કેમકે તેમને કોરોનાથી મોતનો ખતરો વધારે રહે છે. સ્ટેટેન્સ સીરમ ઈન્સ્ટીટ્યૂટના શોધકર્તા સ્ટીન એથિલબર્ગે કહ્યું કે અમારા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે યુવાન અને હેલ્ધી લોકો કોરોનાથી ફરીથી સંક્રમિત થતા નથી પણ વૃદ્ધો કોરોના વાયરસની ઝપેટમાં જલ્દી આવી શક છે અને તેમના મોતનો ખતરો પણ વધુ રહે છે.
વૃદ્ધોની સુરક્ષાને ગણાવી જરૂરી
તેઓએ એમ પણ કહ્યું કે વૃદ્ધોમાં બીમારીના ગંભીર લક્ષણો અને મોતનો ખતરો વધારે રહે છે. આ માટે સ્પષ્ટ છે કે મહામારીના સમયે વૃદ્ધોની સુરક્ષાને માટે અનેક નીતિને લાગૂ કરાય. આ માટે દરેક માટે પીસીઆર ટેસ્ટની સુવિધા આપવામાં આવી રહી છે. પછી લક્ષણ હોય કે ન હોય. ડેનમાર્કમાં 2020માં 40 લાખ કોરોનાના ટેસ્ટ થયા છે.
શોધકર્તાઓએ શું કહ્યું
શોધકર્તાઓએ કહ્યું કે માર્ચથી મે 2020ની વચ્ચે પહેલી લહેરના સમયે કોરોના પોઝિટિવ આવનારા લોકોના ડેટાની સરખામણીએ સપ્ટેમ્બરથી ડિસેમ્બરમાં અન્ય લહેરમાં ટેસ્ટ કરાય. તેઓએ 25 લાખ લોકોના ગ્રૂપમાં મહામારીની અન્ય લહેરના સંક્રમણને લઈને કામ કર્યું છે. તેમાં જાણવા મળ્યું છે કે સામાન્ય રૂપમાં દર્દીને એકવાર બીમાર થયા બાદ ફરીથી સંક્રમણથી 80 ટકાની સુરક્ષા મળે છે અને તે ઘટીને 65 વર્ષથી વધારે ઉંમરના લોકોને 47 ટકા રહે છે. શોધકર્તાનું કહેવું છે કે તેનાથી ખ્યાલ આવે છે કે કયા લોકોને વેક્સીનેશનમાં પ્રાથમિકતા આપવાની જરૂર છે.