દુનિયાભરમાં કોરોના વાયરસને લઈને હાલ સુધી એક લાખ કેસ સામે આવી ચૂક્યા છે. કોરોનાથી મૃત્યુ પામનારની સંખ્યા 3300ને પાર પહોંચી ચૂકી છે. ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 31ની થઈ છે. તેમાંથી 3 દર્દીઓની સારવાર શક્ય બની છે. કોરોના કયા કારણે ફેલાય છે તેના કોઈ ચોક્કસ કારણો જાણવા મળ્યા નથી અને સંક્રમણથી બચવા માટે સાફ સફાઈ પર ધ્યાન આપવામાં આવે છે. આ વાયરસ એકમેકના સંપર્કમાં આવવાથી ફેલાય છે.
કોરોનાથી મૃત્યુ પામનારની સંખ્યા 3300ને પાર
વૈજ્ઞાનિકો કોરોનાને કહે છે મોસમી વાયરસ
ગરમીની સીઝનમાં ઓછો થઈ શકે છે કોરોનાનો કહેર
આ જગ્યાઓએ વધારે રહે છે કોરોનાના વાયરસ
કોરોના વાયરસ આખી દુનિયા માટે ચિંતાનો વિષય છે. અહીં દાવો કરવામાં આવે છે કે ગરમીની સીઝન આવતાં જ કોરોના વાયરસ ખતમ થશે. આ વાયરસ વધારે તાપમાનમાં નબળા પડે છે. કોરોના વાયરસ 5 દિવસ સુધી 22થી 25 ડિગ્રી તાપમાન પર 40-50 ટકા ભેજ સાથે દરવાજા, બારીઓના હેન્ડલ, ફોન અને સાથે કીબોર્ડ જેવી જગ્યાઓએ રહે છે. આ સ્થિતિ એસીવાળી જગ્યાઓએ વધારે બને છે.
વૈજ્ઞાનિકો તેને કહે છે મોસમી વાયરસ
મળતી માહિતી અનુસાર વાયરસના કારણે થનારા ઈન્ફ્લુએન્ઝા કે કોરોના વાયરસ શરદી ગરમીના મહિનામાં ઓછા થાય છે. કેમકે આ વાયરસને મોસમી વાયરસ પણ કહેવામાં આવે છે. એક્સપર્ટ્સનું માનવું છે કે ગરમ સીઝનમાં વાયરસને ફેલાતા રોકવાનું કારગર રહેશે. આ માટે કંઈપણ કહેવું વધાર જલ્દી ગણાશે.
કોરોના વાયરસ ક્યાં સુધી રહેશે તે એ વાત પર નિર્ભર કરે છે કે એ કેટલો ફેલાય છે અને કેટલો નિયંત્રણમાં આવે છે. આ સિવાય હવામાન અને લોકોનું માનવું છે કે હવામાન અને લોકોની ઈમ્યુનિટી પણ તેમાં મહત્વની ભૂમિકા ભજવે છે. કેટલાક વાયરસ જેવા કે સામાન્ય શરદી અને ફ્લૂ, ઠંડીની સીઝનમાં વધારે ફેલાય છે. તેનો અર્થ એ છે નથી કે અન્ય મહીનામાં આ વાયરસથી બીમારી થવાની શક્યતા રહે છે.
આ વાતની કોઈ જાણકારી મળી નથી કે સીઝન ગરમ હોવાથી કોરોના વાયરસનો ફેલાવો ઓછો થશે. કોવિડ 19 તેવી રીતે ફેલાય છે અને કેટલો ગંભીર હોઈ શકે છે તેની જાણકારી હાલ સુધી પણ મેળવવામાં આવી રહી છે. અન્ય એક રિપોર્ટમાં કહેવાયું છે કે એમ માનવું ખોટું છે કે વસંત અને ગરમીમાં કોરોના વાયરસ શાંત થઈ જાય છે.