કોરોના મહામારીએ મનુષ્યને લાચાર કરી દીધો છે. એ પછી અમીર કે ગરીબ.. સારવાર માટે હોસ્પિટલો બહાર લાઈનો છે.
અંકલેશ્વરમાં એક વ્યક્તિએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
કોરોના કાળમાં રૂપિયા કોઈ કામાન નહીં!
બ્રિજ પરથી ઉભા રહીને ઉડાવ્યા રૂપિયા
લોકોને રૂપિયા ખર્ચવા છતાં સારવાર નથી મળી રહી. તેવામાં ભરૂચના અંકલેશ્વરમાં એક વ્યક્તિએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
બ્રિજની સાઇડ પરથી ઉતરીને રૂપિયા ઉડાવવાનું કર્યું શરૂ
આત્મહત્યા કરવા માટે આ શખ્સ વાલિયા ચોકડી પાસેને ઓવરબ્રિજ પર પહોંચ્યો. જ્યાં તેને બ્રિજની સાઈડમાં ઉતરીને રૂપિયા ઉડાવવાનું શરૂ કર્યું. સ્થાનિક લોકો આ જોઈને એકઠા થઈ ગયા હતા.
કોરોના કાળમાં રૂપિયા કોઈ કામમાં નથી આવતા તેવી કરી શખ્સે વાત
ઉલ્લેખનીય છે કે, શખ્સનું કહેવું હતું કે કોરોના કાળમાં રૂપિયા કોઈ કામમાં નથી આવતા. જેથી તેને રૂપિયા ઉડાવ્યા. અને બાદમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો. જોકે સ્થાનિક લોકોએ આ વ્યક્તિને બ્રિજ પરથી ઝંપલાવતા અટકાવ્યા હતા. સ્થાનિક લોકોએ આ શખ્સને પકડીને નીચે ઉતારી દીધો હતો.
પહેલા કરતાં કેસ ઘટ્યા (2 મે, 2021 મુજબ)
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં કોરોનાના 12,978 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 153 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 11,146 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 4,40,276 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 153 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 7508 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. રાજ્યમાં હાલ 722 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,46,818 પર પહોંચ્યો છે.